લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — આ લોકમાં સ્ત્રીજનને વશ કોણ નથી? કામથી જેનું અંતઃકરણ ખંડિત નથી થયું એવો કોણ છે? ઇન્દ્રિયોથી જે નથી જિતાઈ ગયો એવો કોણ છે? તથા કષાયોથી જે નથી તપ્તાયમાન થયો એવો કોણ છે?
ભાવાર્થઃ — વિષય-કષાયને વશ સર્વ લોક છે પણ તત્ત્વની ભાવના કરવાવાળા કોઈ વિરલા છે.
હવે કહે છે કે – જે તત્ત્વજ્ઞાની સર્વ પરિગ્રહનો ત્યાગી થાય છે તે સ્ત્રી આદિને વશ થતો નથીઃ —
અર્થઃ — જે પુરુષ તત્ત્વનું સ્વરૂપ જાણી બાહ્ય-અભ્યંતર સર્વ પરિગ્રહને ગ્રહણ કરતો નથી તે પુરુષ સ્ત્રીજનને વશ થતો નથી, તે જ પુરુષ ઇન્દ્રિયોથી જિતાઈ જતો નથી તથા તે જ પુરુષ મોહકર્મ જે મિથ્યાત્વકર્મ તેનાથી જિતાતો નથી.
ભાવાર્થઃ — સંસારનું બંધન પરિગ્રહ છે. જે સર્વ પરિગ્રહને છોડે તે જ સ્ત્રી-ઇન્દ્રિય-કષાયાદિને વશીભૂત થતો નથી. સર્વત્યાગી થઈ શરીરનું પણ મમત્વ ન રાખે તો તે નિજસ્વરૂપમાં જ લીન થાય છે.
હવે લોકાનુપ્રેક્ષાના ચિંતવનનું માહાત્મ્ય પ્રગટ કરે છેઃ —