બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
અર્થઃ — આ જીવ, સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે અને ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાયને ધારણ કરે છે. અનાદિથી અનંતકાળ સુધી નિત્યનિગોદમાં જીવનો વાસ છે. ત્યાં એક શરીરમાં અનંતાનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન-મરણ સમાન છે. એક શ્વાસના અઢારમા ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી કદાચિત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયપર્યાય પામે છે. એ પર્યાયો પામવી દુર્લભ છે.
હવે કહે છે કે – ત્યાંથી નીકળી ત્રસપર્યાય પામવી દુર્લભ છેઃ —
અર્થઃ — ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદરકાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. ત્યાંથી નીકળી ત્રસપણું પામવું ઘણા કષ્ટે પણ દુર્લભ છે; જેમ ચિંતામણિ પામવો દુર્લભ છે તેમ.
૧ ‘आउ परिहीणो’ એવો પણ પાઠ છે તેનો એવો અર્થ છે કે આયુથી પરિહીન શ્વાસના અઢારમા ભાગે જેનું આયુ છે.