૧૫૪ ]
ભાવાર્થઃ — પૃથ્વી આદિ સ્થાવરકાયથી નીકળી ચિંતામણિરત્નની માફક ત્રસપર્યાય પામવી દુર્લભ છે.
હવે કહે છે કે – ત્રસપણું પણ પામે તો ત્યાં પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છેઃ —
અર્થઃ — સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં પણ બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિયરૂપ વિકલત્રયપણાને પામે. ત્યાં (ઉત્કૃષ્ટ) કરોડો પૂર્વ રહે છે. ત્યાંથી નીકળી મહાકષ્ટેથી પંચેન્દ્રિયપણું પામે છે.
ભાવાર્થઃ — વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. જો વિકલત્રયમાંથી ફરી સ્થાવરકાયમાં જઈ ઉત્પન્ન થાય તો ત્યાં ફરી ઘણો કાળ ભોગવે; એટલા માટે પંચેન્દ્રિયપણું પામવું અતિશય દુર્લભ છે.
અર્થઃ — વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિય કદી થાય તો અસંજ્ઞી – મનરહિત થાય છે. ત્યાં સ્વ તથા પરનો ભેદ જાણતો નથી. કદાચિત્ મનસહિત સંજ્ઞી પણ થાય તો રુદ્ર તિર્યંચ થાય છે અર્થાત્ બિલ્લી, ઘુવડ, સર્પ, સિંહ અને મચ્છાદિ ક્રૂર તિર્યંચ થાય છે.
ભાવાર્થઃ — કદાચિત્ પંચેન્દ્રિય થાય તો અસંજ્ઞી થાય છે પણ