બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
સંજ્ઞીપણું દુર્લભ છે. વળી સંજ્ઞી પણ થાય તો ત્યાં ક્રૂર તિર્યંચ થાય કે જેના પરિણામ નિરંતર પાપરૂપ જ રહે છે.
અર્થઃ — ક્રૂર તિર્યંચ થાય તો તે તીવ્ર અશુભપરિણામથી અશુભ લેશ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહા દુઃખદાયક અને ભયાનક છે. ત્યાં શરીરસંબંધી તથા મનસંબંધી પ્રચુર (ઘણાં તીવ્ર – આકરાં) દુઃખ ભોગવે છે.
હવે કહે છે કે – એ નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો ત્યાં પણ દુઃખ સહે છેઃ —
અર્થઃ — એ નરકમાંથી નીકળી ફરી તિર્યંચગતિમાં ઊપજે છે; ત્યાં પણ જેમ પાપરૂપ થાય તેમ આ જીવ અનેક પ્રકારનાં અનંત દુઃખ વિશેષતા પૂર્વક સહે છે.
હવે કહે છે કે – મનુષ્યપણું પામવું મહાદુર્લભ છે. ત્યાં પણ મિથ્યાદ્રષ્ટિ બની પાપ ઉપજાવે છેઃ —