૧૫૬ ]
અર્થઃ — તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાદ્રષ્ટિ બની પાપ ઉપજાવે છે.
ભાવાર્થઃ — મનુષ્ય પણ કદાચિત્ થાય તો ત્યાં મ્લેચ્છખંડ આદિમાં વા મિથ્યાદ્રષ્ટિઓની સંગતિમાં ઊપજી પાપ જ ઉપજાવે છે.
હવે કહે છે કે – મનુષ્ય પણ થાય અને તે આર્યખંડમાં પણ ઊપજે તોપણ ત્યાં ઉત્તમ કુળાદિ પામવાં અતિ દુર્લભ છેઃ —
અર્થઃ — મનુષ્યપર્યાય પામી કદાચિત્ આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. કદાચિત્ ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય અને તેનાથી કાંઈ સુકૃત્ય નહિ બનતાં પાપમાં જ લીન રહે છે.
અર્થઃ — વળી જો ધનવાનપણું પણ પામે તો ત્યાં ઇન્દ્રિયોની પરિપૂર્ણતા પામવી અતિ દુર્લભ છે. કદાચિત્ ઇન્દ્રિયોની સંપૂર્ણતા પણ પામે તો ત્યાં રોગસહિત દેહ પામે, પણ નીરોગ હોવું દુર્લભ છે.