Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 303-304.

< Previous Page   Next Page >


Page 162 of 297
PDF/HTML Page 186 of 321

 

૧૬૨ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

જ પ્રમાણ છે, અન્ય છદ્મસ્થનું કહેલું પ્રમાણ નથી. પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરાપૂર્વક છદ્મસ્થ કહે તે પ્રમાણ છે. તેથી ધર્મના સ્વરૂપકથનમાં મૂળકારણરૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું.

હવે જે સર્વજ્ઞને માનતો નથી તેને કહે છેઃ
जदि ण हवदि सव्वह्णू ता को जाणदि अदिंदियं अत्थं
इंदियणाणं ण मुणदि थूलं पि असेसपज्जायं ।।३०३।।
यदि न भवति सर्वज्ञः ततः कः जानाति अतीन्द्रियं अर्थम्
इन्द्रियज्ञानं न जानाति स्थूलं अपि अशेषपर्यायम् ।।३०३।।

અર્થઃહે સર્વજ્ઞના અભાવવાદી? જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થોઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોનેકોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો ઇન્દ્રિયોના સંબંધમાં આવેલા વર્તમાન સ્થૂલ પદાર્થોને જાણે છે. તેના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી.

ભાવાર્થઃસર્વજ્ઞનો અભાવ મીમાંસક તથા નાસ્તિક કહે છે. તેમને અહીં નિષેધ્યા છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મઅધર્મનું ફળ તો અતીન્દ્રિય છે, તેને સર્વજ્ઞ વિના (યથાર્થપૂર્ણ) કોઈ જાણી શકતું નથી. એટલા માટે ધર્મ-અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો!

तेणुवइट्ठो धम्मो संगासत्ताण तह असंगाणं
पढमो बारहभेओ दहभेओ भासिओ बिदिओ ।।३०४।।
तेन उपदिष्टः धर्मः सङ्गासक्तानां तथा असङ्गानां
प्रथमः द्वादशभेदः दशभेदः भाषित द्वितीयः ।।३०४।।

અર્થઃએ સર્વજ્ઞદેવથી ઉપદેશિત ધર્મ બે પ્રકારથી છેઃ એક તો સંગથી આસક્ત ગૃહસ્થનો અને બીજો અસંગ મુનિનો. ત્યાં પ્રથમ ગૃહસ્થનો ધર્મ તો બાર ભેદરૂપ છે તથા બીજો મુનિનો ધર્મ દશ ભેદરૂપ છે.