Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 309.

< Previous Page   Next Page >


Page 165 of 297
PDF/HTML Page 189 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૧૬૫

કેવલી-શ્રુતકેવલીની નિકટતામાં કર્મભૂમિના મનુષ્યને જ થાય છે તથા તેની નિષ્ઠાપના (પૂર્ણતા) અન્ય ગતિમાં (ચારે ગતિમાંથી કોઈ એકમાં) પણ થાય છે.

હવે, ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે તે કહે છેઃ
अणउदयादो छह्णं सजाइरूवेण उदयमाणाणं
सम्मत्तकम्मुउदए खयउवसमियं हवे सम्मं ।।३०९।।
अनुदयात् षण्णां स्वजातिरूपेण उदयमानानाम्
सम्यक्त्वकर्मोदये क्षायोपशमिकं भवेत् सम्यक्त्वम् ।।३०९।।

અર્થઃપૂર્વોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય, તથા સજાતિરૂપે એટલે સમાનજાતીય પ્રકૃતિરૂપે ઉદય હોય તથા સમ્યક્કર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થાય છે.

ભાવાર્થઃમિથ્યાત્વ અને સમ્યગ્મિથ્યાત્વના ઉદયનો અભાવ હોય સમ્યક્પ્રકૃતિનો ઉદય હોય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભના ઉદયનો અભાવ હોય તથા વિસંયોજન કરી અપ્રત્યાખ્યાનાવરણાદિરૂપથી ઉદયમાન હોય, તે વેળા ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ઊપજે છે. આ ત્રણે સમ્યક્ત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમ્મટસારલબ્ધિસારથી જાણવું.

હવે ઔપશમિકક્ષાયોપશમિક સમ્યક્ત્વ, અનંતાનુબંધીનું વિસંયોજન તથા દેશવ્રતએ ત્રણેનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છેેઃ જુઓ ગોમ્મટસાર જીવ૦ ગાથા ૬૪૭ જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની (અનંતાનુબંધીની) સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.

(જુઓ ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક અ૦ ૯ પૃષ્ઠ ૩૩૬)