Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 318.

< Previous Page   Next Page >


Page 174 of 297
PDF/HTML Page 198 of 321

 

૧૭૪ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

અર્થઃજે જીવ દોષરહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિર્ગ્રન્થગુરુને ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યગ્દ્રષ્ટિ છે.

ભાવાર્થઃસર્વજ્ઞ વીતરાગ અઢાર દોષોથી રહિત દેવને દેવ માને છે, પણ અન્ય દોષરહિત દેવ છે તેને ‘આ સંસારી છે, પણ મોક્ષમાર્ગી નથી’ એમ જાણી વંદતોપૂજતો નથી, અહિંસામય ધર્મને ધર્મ જાણે છે. વળી દેવતાઓને અર્થે યજ્ઞાદિમાં પશુને ઘાત કરી ચઢાવવામાં (લોકો) ધર્મ માને છે પણ તેમાં પાપ જ જાણી પોતે તેમાં પ્રવર્તતો નથી તથા ગ્રંથી (બાહ્યઅંતરંગ પરિગ્રહની મૂર્છાપકડ) સહિત અનેક અન્યમતી વેષધારીઓ છે વા કાળદોષથી જૈનમતમાં પણ વેષધારી નિપજ્યા છે તે સર્વને વેષધારીપાખંડી જાણે પણ તેને વંદેપૂજે નહિ, પરંતુ સર્વપરિગ્રહરહિત હોય તેમને જ ગુરુ માની વંદનપૂજન કરે; કારણ કે દેવ-ગુરુ-ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક્ ઉપદેશ પ્રવર્તે છે. એ કુદેવ -કુગુરુ-કુધર્મનું વંદનપૂજન તો દૂર રહો તેના સંસર્ગમાત્રથી પણ શ્રદ્ધાન બગડી જાય છે માટે સમ્યગ્દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમંતભદ્રઆચાર્યે રત્નકરંડશ્રાવકાચારમાં એમ કહ્યું છે કેભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ કુદેવ, કુઆગમ તથા કુલિંગીવેષધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યગ્દ્રષ્ટિ છે તે કરતો નથી, તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાન બગડે છેધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું.

હવે મિથ્યાદ્રષ્ટિ કેવો હોય છે તે કહે છેઃ

दोससहियं पि देवं जीवहिंसाइसंजुदं धम्मं
गंथासत्तं च गुरुं जो मण्णदि सो हु कुद्दिट्ठी ।।३१८।।
दोषसहितं अपि देवं जीवहिंसादिसंयुतं धर्मम्
ग्रन्थासक्तं च गुरुं यः मन्यते सः स्फु टं कुदृष्टिः ।।३१८।।
भयाशास्नेहलोभाच्च कुदेवागमलिंगिनाम्
प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ।। (શ્લોક ૩૦)