ધર્માનુપ્રેક્ષા ]
છે તે પ્રાણીને તે જ દેશમાં, તે જ કાળમાં, તે જ વિધાનથી નિયમથી થાય છે, તેને ઇન્દ્ર કે જિનેન્દ્ર – તીર્થંકરદેવ કોઈ પણ અટકાવી શકતા નથી.
ભાવાર્થઃ — સર્વજ્ઞદેવ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અવસ્થાને જાણે છે અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રતિભાસ્યું છે તે જ નિયમથી થાય છે, પણ તેમાં હીનાધિક કાંઈ થતું નથી એમ સમ્યગ્દ્રષ્ટિ વિચારે છે.
હવે ‘એવો તો સમ્યગ્દ્રષ્ટિ છે પણ તેમાં સંશય કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે’ એમ કહે છેઃ —
અર્થઃ — એ પ્રમાણે નિશ્ચયથી સર્વ જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ દ્રવ્યોને તથા તે દ્રવ્યોની સર્વ પર્યાયોને સર્વજ્ઞના આગમ અનુસાર જે જાણે છે – શ્રદ્ધાન કરે છે તે શુદ્ધ સમ્યગ્દ્રષ્ટિ છે તથા જે એ પ્રમાણે શ્રદ્ધાન નથી કરતો પણ તેમાં શંકા – સંદેહ કરે છે તે સર્વજ્ઞના આગમથી પ્રતિકૂલ છે – પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
હવે કહે છે કે જે વિશેષ તત્ત્વને ન જાણતો હોય પણ જિન-વચનમાં આજ્ઞામાત્ર શ્રદ્ધાન કરે છે તેને પણ શ્રદ્ધાવાન કહીએ છીએઃ —
અર્થઃ — જે જીવ જ્ઞાનાવરણના વિશિષ્ટ ક્ષયોપશમ વિના તથા વિશિષ્ટ ગુરુના સંયોગ વિના તત્ત્વાર્થને જાણી શકતો નથી તે જીવ જિનવચનમાં આ પ્રમાણે શ્રદ્ધાન કરે છે કે – ‘જિનેન્દ્રદેવે જે તત્ત્વ કહ્યું છે