ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે શ્રાવક બહુમૂલ્ય વસ્તુ અલ્પમૂલ્યમાં ન લે, કપટથી – લોભથી – ક્રોધથી – માનથી પરનું દ્રવ્ય ન લે, તે ત્રીજા અણુવ્રતધારી શ્રાવક છે. કેવો છે તે? દ્રઢ છે ચિત્ત જેનું, કારણ પામવા છતાં પ્રતિજ્ઞા બગાડતો નથી તથા શુદ્ધ છે – ઉજ્જ્વળ છે બુદ્ધિ જેની (એવો છે).
ભાવાર્થઃ — સાત વ્યસનના ત્યાગમાં ચોરીનો ત્યાગ તો કર્યો જ છે. તેમાં આ વિશેષ છે કે – બહુમૂલ્યની વસ્તુ અલ્પમૂલ્યમાં લેવાથી ઝગડો ઉત્પન્ન થાય છે. કોણ જાણે શું કારણથી સામો માણસ અલ્પ મૂલ્યમાં આપે છે? વળી પરની ભૂલી ગયેલી વસ્તુ તથા માર્ગમાં પડેલી વસ્તુ પણ ન લે, એમ ન જાણે કે પેલો નથી જાણતો પછી તેનો ડર ૩. પરને ઠગવા માટે અછતા – જૂઠા લેખ લખવા, એવો એવો બધો, કુટલેખક્રિયા
૪. કોઈ રૂપિયા – મહોર – આભરણાદિ પોતાને સોપીં ગયો હોય અને પાછળથી
આ છે તે લઈ જાઓ’ એમ કહેવું તે ન્યાસાપહાર – અતિચાર છે.
૫. અંગવિકાર ભૃકુટીક્ષેપાદિકથી અન્યનો અભિપ્રાય જાણી ઇર્ષાભાવથી લોકમાં
અતિચારદોષ છે તે છોડવા યોગ્ય છે. (અર્થપ્રકાશિકા ટીકા, પા. ૨૮૫)