૧૮૮ ]
અર્થઃ — જે પુરુષ લોભકષાયને અલ્પ કરી સંતોષરૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો સર્વ ધન – ધાન્યાદિક પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે, તથા ધન – ધાન્ય – સુવર્ણ – ક્ષેત્રાદિ પરિગ્રહનું, પોતાના ઉપયોગસામર્થ્યને અને કાર્યવિશેષને જાણી તેના અનુસાર, પરિમાણ કરે છે તેને આ પાંચમું અણુવ્રત હોય છે. અંતરંગપરિગ્રહ તો લોભ – તૃષ્ણા છે તેને ક્ષીણ કરે છે તથા બાહ્યપરિગ્રહનું પરિમાણ કરે છે. દ્રઢચિત્તથી પ્રતિજ્ઞાભંગ ન કરે તે અતિચાર* રહિત પંચમઅણુવ્રતી છે. એ પ્રમાણે પાંચ અણુવ્રત નિરતિચાર પાલન કરે છે તે વ્રતપ્રતિમાધારી શ્રાવક છે. એ પ્રમાણે પાંચ અણુવ્રતનું વ્યાખ્યાન કર્યું.
હવે તે વ્રતોની રક્ષા કરવાવાળાં સાત શીલ છે. તેનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ત્રણ ગુણવ્રતમાં પહેલું ગુણવ્રત કહે છેઃ —
અર્થઃ — લોભનો નાશ કરવા અર્થે જીવને પરિગ્રહનું પરિમાણ * ક્ષેત્રવાસ્તુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસીદાસ અને કુપ્યભાંડ આ વસ્તુઓના