Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 351.

< Previous Page   Next Page >


Page 194 of 297
PDF/HTML Page 218 of 321

 

૧૯૪ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
जो परिहरेइ संतं तस्स वयं थुव्वदे सुरिंदेहिं
जो मणलड्डु व भक्खदि तस्स वयं अप्पसिद्धियरं ।।३५१।।
यः परिहरति संतं तस्य व्रतं स्तूयते सुरेन्द्रैः
यः मनोमोदकवत् भक्षयति तस्य व्रतं अल्पसिद्धिकरम् ।।३५१।।

અર્થઃજે પુરુષ છતી (પ્રાપ્તમોજૂદ) વસ્તુનો ત્યાગ કરે છે તેના વ્રતને દેવોના ઇન્દ્રો પણ અભિનંદે છેપ્રશંસે છે, તથા અપ્રાપ્ત વસ્તુનો ત્યાગ તો એવો છે કે જેમ લાડુ તો હોય નહિ અને મનમાં સંકલ્પમાત્ર લાડુની કલ્પના કરી લાડુ ખાય તેવો છે. અહીં અણછતી વસ્તુ સંકલ્પમાત્ર છોડવી એ વ્રત તો છે, પરંતુ અલ્પ સિદ્ધિદાતા છે અર્થાત્ તેનું ફળ અલ્પ છે.

પ્રશ્નઃભોગોપભોગપરિમાણને અહીં ત્રીજા ગુણવ્રતમાં ગણ્યું પણ તત્ત્વાર્થસૂત્રમાં ત્રીજું ગુણવ્રત, તો દેશવ્રત કહ્યું છે અને ભોગોપભોગપરિમાણવ્રતને ત્રીજા શિક્ષાવ્રતમાં ગણ્યું છે તેનું શું કારણ? તેનું સમાધાનઃ

એ આચાર્યોની વિવક્ષાનું વિચિત્રપણું છે. સ્વામી સમંતભદ્રાચાર્યે રત્નકરંડશ્રાવકાચારમાં પણ અહીં કહ્યું છે તેમ જ કહ્યું છેએમાં વિરોધ નથી. અહીં તો અણુવ્રતના ઉપકારકની અપેક્ષા લીધી છે અને ત્યાં (તત્ત્વાર્થસૂત્રમાં) સચિત્તાદિ ભોગ છોડવાની અપેક્ષામુનિવ્રતની શિક્ષા આપવાની અપેક્ષા લીધી છે એટલે એમાં કાંઈ વિરોધ નથી, એ પ્રમાણે ગુણવ્રતનું વ્યાખ્યાન કર્યું.*

दिग्व्रतमनर्थदण्डव्रतं च भोगोपभोगपरिमाणम्;
अनुबृंहणाद्गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः
।।६७।।

દિગ્વ્રત, અનર્થદંડવ્રત, ભોગોપભોગપરિમાણવ્રત એ ત્રણ વ્રતો અણુવ્રતોને વધારવાના હેતુરૂપ હોવાથી તેને ગુણવ્રત કહે છે (રત્નકરંડશ્રાવકાચાર)