૧૯૬ ]
બાધાકારક જીવો ન હોય, એવું ક્ષેત્ર સામાયિક કરવા માટે યોગ્ય છે.
ભાવાર્થઃ — જ્યાં ચિત્તમાં ક્ષોભ ઉપજાવવાવાળાં કોઈ કારણો ન હોય ત્યાં સામાયિક કરવી.
હવે સામાયિકનો કાળ કહે છેઃ —
અર્થઃ — પૂર્વાહ્ન એટલે પ્રભાતકાળ, મધ્યાહ્ન એટલે દિવસનો મધ્ય વખત અને અપરાહ્ન એટલે દિવસનો પાછલો વખત (સંધ્યાસમય) એ ત્રણે કાળમાં છ છ ઘડીનો કાળ સામાયિકનો છે એમ વિનયસહિત નિઃસ્વ એટલે પરિગ્રહરહિતના ઇશ્વર ગણધરદેવે કહ્યું છે.
ભાવાર્થઃ — ત્રણ ઘડી પાછલી રાત્રિનો તથા ત્રણ ઘડી દિવસ ઊગ્યા પછીનો એમ છ ઘડીનો કાળ પૂર્વાહ્નકાળ છે, બીજા પહોરની પાછળની ત્રણ ઘડીથી માંડી ત્રીજા પહોરની શરૂઆતની ત્રણ ઘડી સુધી છ ઘડીનો મધ્યાહ્નકાળ છે તથા દિવસની છેલ્લી ત્રણ ઘડીથી માંડી રાત્રિની ત્રણ ઘડી સુધીનો છ ઘડીનો અપરાહ્નકાળ છે. એ સામાયિકનો ઉત્કૃષ્ટ કાળ છે. વળી (પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ અને સંધ્યાકાળ) એમ ત્રણે કાળમાં બબ્બે ઘડીનું સામાયિક પણ કહ્યું છે. એ પ્રમાણે ત્રણ કાળમાં છ ઘડી થાય છે.
હવે આસન, લય, તથા મન – વચન – કાયાની શુદ્ધતા કહે છેઃ —