Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 357-358.

< Previous Page   Next Page >


Page 197 of 297
PDF/HTML Page 221 of 321

 

background image
किच्चा देसपमाणं सव्वंसावज्जवज्जिदो होउं
जो कुव्वदि सामइय सो मुणिसरिसो हवे ताव ।।३५७।।
बद्ध्वा पर्यंकं अथवा उर्ध्वेन ऊर्ध्वतः स्थित्वा
कालप्रमाणं कृत्वा इन्द्रियव्यापारवर्जितः भूत्वा ।।३५५।।
जिनवचनैकाग्रमनाः संवृतकायः च अञ्जलिं कृत्वा
स्वस्वरूपे संलीनः वन्दनार्थं विचिन्तयन् ।।३५६।।
कृत्वा देशप्रमाणं सर्वसावद्यवर्जितः भूत्वा
यः कुर्वते सामायिकं सः मुनिसदृशः भवेत् तावत् ।।३५७।।
અર્થઃપર્યંકાસન બાંધી અથવા ઊભા ખડગાસને રહીને, કાળનું
પ્રમાણ કરી, વિષયોમાં ઇન્દ્રિઓનો વ્યાપાર નહિ થવા અર્થે જિનવચનમાં
એકાગ્રચિત્ત કરી, કાયાને સંકોચી, હાથની અંજલિ જોડી, પોતાના
સ્વરૂપમાં લીન થયો થકો અથવા સામાયિક
વંદનાના પાઠના અર્થને
ચિંતવતો થકો, ક્ષેત્રનું પરિમાણ કરી સર્વ સાવદ્યયોગ જે ઘરવ્યાપારાદિ
પાપયોગ તેનો ત્યાગ કરી, પાપયોગરહિત બની સામાયિકમાં પ્રવર્તે તે
શ્રાવક તે કાળમાં મુનિ જેવો છે.
ભાવાર્થઃઆ શિક્ષાવ્રત છે. ત્યાં એ અર્થ સૂચિત છે કે જે
સામાયિક છે તેમાં સર્વ રાગ-દ્વેષરહિત બની, બહારની સર્વ
પાપયોગક્રિયાથી રહિત થઈ, પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન બની મુનિ
પ્રવર્તે છે. આ સામાયિકચારિત્ર મુનિનો ધર્મ છે. એ જ શિક્ષા શ્રાવકને
પણ આપવામાં આવે છે કે સામાયિકના કાળની મર્યાદા કરી તે કાળમાં
મુનિની માફક પ્રવર્તે છે; કારણ કે મુનિ થયા પછી આ પ્રમાણે સદા
રહેવું થશે. એ અપેક્ષાથી શ્રાવકને તે કાળમાં મુનિ જેવો કહ્યો છે.
હવે પ્રોષધોપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છેઃ
ण्हाणविलेवणभूसणइत्थीसंसग्गगंधधूवादी
जो परिहरेदि णाणी वेरग्गाभूसणं किच्चा ।।३५८।।
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૯૭