किच्चा देसपमाणं सव्वंसावज्जवज्जिदो होउं ।
जो कुव्वदि सामइय सो मुणिसरिसो हवे ताव ।।३५७।।
बद्ध्वा पर्यंकं अथवा उर्ध्वेन ऊर्ध्वतः स्थित्वा ।
कालप्रमाणं कृत्वा इन्द्रियव्यापारवर्जितः भूत्वा ।।३५५।।
जिनवचनैकाग्रमनाः संवृतकायः च अञ्जलिं कृत्वा ।
स्वस्वरूपे संलीनः वन्दनार्थं विचिन्तयन् ।।३५६।।
कृत्वा देशप्रमाणं सर्वसावद्यवर्जितः भूत्वा ।
यः कुर्वते सामायिकं सः मुनिसदृशः भवेत् तावत् ।।३५७।।
અર્થઃ — પર્યંકાસન બાંધી અથવા ઊભા ખડગાસને રહીને, કાળનું
પ્રમાણ કરી, વિષયોમાં ઇન્દ્રિઓનો વ્યાપાર નહિ થવા અર્થે જિનવચનમાં
એકાગ્રચિત્ત કરી, કાયાને સંકોચી, હાથની અંજલિ જોડી, પોતાના
સ્વરૂપમાં લીન થયો થકો અથવા સામાયિક – વંદનાના પાઠના અર્થને
ચિંતવતો થકો, ક્ષેત્રનું પરિમાણ કરી સર્વ સાવદ્યયોગ જે ઘર – વ્યાપારાદિ
પાપયોગ તેનો ત્યાગ કરી, પાપયોગરહિત બની સામાયિકમાં પ્રવર્તે તે
શ્રાવક તે કાળમાં મુનિ જેવો છે.
ભાવાર્થઃ — આ શિક્ષાવ્રત છે. ત્યાં એ અર્થ સૂચિત છે કે જે
સામાયિક છે તેમાં સર્વ રાગ-દ્વેષરહિત બની, બહારની સર્વ
પાપયોગક્રિયાથી રહિત થઈ, પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન બની મુનિ
પ્રવર્તે છે. આ સામાયિકચારિત્ર મુનિનો ધર્મ છે. એ જ શિક્ષા શ્રાવકને
પણ આપવામાં આવે છે કે સામાયિકના કાળની મર્યાદા કરી તે કાળમાં
મુનિની માફક પ્રવર્તે છે; કારણ કે મુનિ થયા પછી આ પ્રમાણે સદા
રહેવું થશે. એ અપેક્ષાથી શ્રાવકને તે કાળમાં મુનિ જેવો કહ્યો છે.
હવે પ્રોષધોપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છેઃ —
ण्हाणविलेवणभूसणइत्थीसंसग्गगंधधूवादी ।
जो परिहरेदि णाणी वेरग्गाभूसणं किच्चा ।।३५८।।
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૯૭