Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 361.

< Previous Page   Next Page >


Page 199 of 297
PDF/HTML Page 223 of 321

 

background image
सिक्खावयं च तदियं तस्स हवे सव्वसिद्धिसोक्खयरं
दाणं चउव्विहं पि य सव्वे दाणाण सारयरं ।।३६१।।
त्रिविधे पात्रे सदा श्रद्धादिगुणैः संयुतः ज्ञानी
दानं यः ददाति स्वकं नवदानविधिभिः संयुक्तः ।।३६०।।
शिक्षाव्रतं च तृतीयं तस्य भवेत् सर्वसिद्धिसौख्यकरम्
दानं चतुर्विधं अपि च सर्वदानानां सारतरम् ।।३६१।।
અર્થઃજે જ્ઞાનીશ્રાવક, ઉત્તમમધ્યમજઘન્ય એ ત્રણ પ્રકારના
પાત્રોને અર્થે દાતારના શ્રદ્ધાઆદિ ગુણોથી યુક્ત બની પોતાના હાથથી
નવધાભક્તિસહિત થઈને દરરોજ દાન આપે છે તે શ્રાવકનું ત્રીજું
અતિથિસંવિભાગશિક્ષાવ્રત હોય છે. એ દાન કેવું છે? આહાર, અભય,
ઔષધ અને શાસ્ત્રદાનના ભેદથી ચાર પ્રકારનું છે. વળી અન્ય જે લૌકિક
ધનાદિકના દાન કરતાં આ દાન અતિશય સારરૂપ ઉત્તમ છે. સર્વ
સિદ્ધિસુખનું ઉપજાવવાવાળું છે.
ભાવાર્થઃત્રણ પ્રકારના પાત્રોમાં ઉત્કૃષ્ટ તો મુનિ, મધ્યમ
અણુવ્રતીશ્રાવક તથા જઘન્ય અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે. વળી દાતારના શ્રદ્ધા,
તુષ્ટિ, ભક્તિ, વિજ્ઞાન, અલુબ્ધતા, ક્ષમા અને શક્તિ એ સાત ગુણો છે.
વળી અન્ય પ્રકાર આ પ્રમાણે પણ છે
આ લોકના ફળની વાંચ્છા
વિનાનો, ક્ષમાવાન, કપટરહિત, અન્યદાતાની ઇર્ષારહિત, આપ્યા પછી તે
સંબંધી વિષાદવિનાનો, આપ્યાના હર્ષવાળો, અને ગર્વવિનાનો એ પ્રમાણે
પણ સાત ગુણો કહ્યા છે. વળી પ્રતિગ્રહ, ઉચ્ચસ્થાન, પાદપ્રક્ષાલન,
પૂજન, પ્રણામ, મનશુદ્ધિ, વચનશુદ્ધિ, કાયશુદ્ધિ તથા આહારશુદ્ધિ એ
પ્રમાણે નવધાભક્તિ છે. એ રીતે દાતારના ગુણોસહિત નવધાભક્તિપૂર્વક
પાત્રને રોજ ચાર પ્રકારનાં દાન જે આપે છે તેને ત્રીજું શિક્ષાવ્રત હોય
છે. આ પણ મુનિપણાની શિક્ષા માટે
કે આપવાનું શીખે તે પ્રમાણે
૧. આ દાતારના સાત ગુણો તથા નવધાભક્તિ સંબંધી વિશેષ વર્ણન માટે જુઓ
રત્નકરંડશ્રાવકાચાર શ્લોક૧૧૩
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૯૯