Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 362-364.

< Previous Page   Next Page >


Page 200 of 297
PDF/HTML Page 224 of 321

 

background image
પોતાને મુનિ થયા પછી લેવાનું થશે.
હવે આહારાદિ દાનનું માહાત્મ્ય કહે છેઃ
भोयणदाणेण सोक्खं ओसहदाणेण सत्थदाणं च
जीवाण अभयदाणं सुदुल्लहं सव्वदाणाणं ।।३६२।।
भोजनदानेन सौख्यं औषधदानेन शास्त्रदानं च
जीवानां अभयदानं सुदुर्ल्लभं सर्वदानानाम् ।।३६२।।
અર્થઃભોજનના દાનથી સર્વને સુખ થાય છે. ઔષધદાનપૂર્વક
શાસ્ત્રદાન અને જીવોને અભયદાન છે તે સર્વ દાનોમાં દુર્લભતાથી પમાય
એવું ઉત્તમદાન છે.
ભાવાર્થઃઅહીં અભયદાનને સર્વથી શ્રેષ્ઠ કહ્યું છે.
હવે બે ગાથામાં આહારદાનનું માહાત્મ્ય કહે છેઃ
भोयणदाणे दिण्णे तिण्णि वि दाणाणि होंति दिण्णाणि
भुक्खतिसाएवाही दिणे दिणे होंति देहीणं ।।३६३।।
भोयणबलेण साहू सत्थं सेवेदि रत्तिदिवसं पि
भोयणदाणे दिण्णे पाणा वि य रक्खिया होंति ।।३६४।।
भोजनदाने दत्ते त्रीणि अपि दानानि भवन्ति दत्तानि
बुभुक्षातृषाव्याधयः दिने दिने भवन्ति देहिनाम् ।।३६३।।
भोजनबलेन साधुः शास्त्रं सेवते रात्रिदिवसं अपि
भोजनदाने दत्ते प्राणाः अपि च रक्षिताः भवन्ति ।।३६४।।
અર્થઃભોજનદાન આપતાં ત્રણે દાન આપવા બરાબર થાય
છે, કારણ કે પ્રાણીઓને ક્ષુધાતૃષા નામનો રોગ દરરોજ લાગ્યા જ કરે
છે. ભોજનના બળથી સાધુપુરુષ રાત્રિ-દિવસ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે,
ભોજન આપવાથી પ્રાણરક્ષા પણ થાય છે, એ પ્રમાણે ભોજનદાનથી
૨૦૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા