Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 369-370.

< Previous Page   Next Page >


Page 203 of 297
PDF/HTML Page 227 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૦૩
હવે અંત સંલ્લેખના સંક્ષેપમાં કહે છેઃ
वारसवएहिं जुत्तो जो संलेहण करेदि उवसंतो
सो सुरसोक्खं पाविय कमेण सोक्खं परं लहदि ।।३६९।।
द्वादशव्रतैः युक्तः यः सल्लेखनां करोति उपशान्तः
सः सुरसौख्यं प्राप्य क्रमेण सौख्यं परं लभते ।।३६९।।

અર્થઃજે શ્રાવક, બાર વ્રતો સહિત અંત સમયે ઉપશમભાવોથી યુક્ત થઈ સંલેખના કરે છે તે સ્વર્ગનાં સુખ પામી અનુક્રમથી ઉત્કૃષ્ટ સુખ જે મોક્ષસુખ તેને પ્રાપ્ત થાય છે.

ભાવાર્થઃકષાયો અને કાયાની ક્ષીણતા કરવી તેને સંલેખના કહે છે. ત્યાં શ્રાવક, બાર વ્રતોના પાલન સહિત પાછળથી મરણ સમય જાણતાં પ્રથમ સાવધાન થઈ, સર્વ વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડી કષાયોને ક્ષીણ કરી ઉપશમભાવરૂપ મંદકષાયી થાય તથા કાયાને અનુક્રમથી અનશનઊણોદરનીરસાદિ તપોથી ક્ષીણ કરે. પ્રથમ એ પ્રમાણે કાયાને ક્ષીણ કરે તો શરીરમાં મળમૂત્રના નિમિત્તથી જે રોગ થાય છે તે ન થાય, અંતસમયમાં અસાવધાનતા ન થાય. એ પ્રમાણે સંલેખના કરે. અંતસમયે સાવધાન બની પોતાના સ્વરૂપમાં વા અરહંતસિદ્ધપરમેષ્ઠિના સ્વરૂપચિંત્વનમાં લીન થઈ વ્રતરૂપસંવરરૂપ પરિણામ સહિત બન્યો થકો પર્યાયને છોડે, તો તે સ્વર્ગસુખને પ્રાપ્ત થાય છે અને ત્યાં પણ આ જ વાંચ્છા રહે છે કે ‘મનુષ્ય થઈ વ્રત પાલન કરું’. એ પ્રમાણે અનુક્રમથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે.

एक्कं पि वयं विमलं सद्दिट्ठी जइ कुणेदि दिढचित्तो
तो विविहरिद्धिजुत्तं इंदत्तं पावए णियमा ।।३७०।।
एकं अपि व्रतं विमलं सद्दृष्टिः यदि करोति दृढचित्तः
तत् विविधर्द्धियुक्तं इन्द्रत्व प्राप्नोति नियमात् ।।३७०।।

અર્થઃસમ્યગ્દ્રષ્ટિજીવ દ્રઢચિત્ત બની એક પણ વ્રત અતિચાર