૨૦૪ ]
રહિત નિર્મળ પાલન કરે તો તે નાના પ્રકારની ૠદ્ધિઓથી યુક્ત ઇન્દ્રપણાને નિયમથી પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — અહીં એક પણ વ્રત અતિચાર રહિત પાળવાનું ફળ ઇન્દ્રપણું નિયમથી કહ્યું. ત્યા એવો આશય જણાય છે કે સર્વ વ્રતોના પાલનના પરિણામ સમાનજાતિના છે; જ્યાં એક વ્રત દ્રઢચિત્તથી પાલન કરે ત્યાં તેના અન્ય સમાનજાતીય વ્રત પાલનનું અવિનાભાવિપણું એટલે ‘બધાંય વ્રત પાળ્યાં’ કહે છે. વળી આમ પણ છે કે — જો એક ત્યાગની આખડીને અંતસમયે દ્રઢચિત્તથી પકડી તેમાં પરિણામ લીન થતાં પર્યાય છૂટે તો તે કાળમાં અન્ય ઉપયોગના અભાવથી મહાન ધર્મધ્યાન સહિત અન્ય ગતિમાં ગમન થાય તો ઉચ્ચગતિમાં જ થાય એવો નિયમ છે. એવા આશયથી એક વ્રતનું માહાત્મ્ય કહ્યું છે, પણ અહીં એમ ન જાણવું કે એક વ્રત તો પાલન કરે અને અન્ય પાપ સેવ્યા કરે તો તેનું પણ ઉચ્ચફળ થાય છે. એ પ્રમાણે તો ચોરી છોડે અને પરસ્ત્રી સેવ્યા કરે
પરંતુ એમ નથી. એ પ્રમાણે બીજી વ્રતપ્રતિમાનું નિરૂપણ કર્યું. બાર ભેદોની અપેક્ષાએ આ ત્રીજો ભેદ થયો.
હવે ત્રીજી સામાયિકપ્રતિમાનું નિરૂપણ કરે છે.ઃ —