રસની જાતિને ચિંતવતો રહે છે તેને સામાયિકવ્રત હોય છે.
વિશેષ એ કહ્યું કે ‘કાયાથી મમત્વ છોડી કાયોત્સર્ગ કરે ત્યાં આદિ
એમ બાર આવર્ત કરે. એ પ્રમાણે કરી કાયાથી મમત્વ છોડી
નિજસ્વરૂપમાં લીન થાય, વા જિનપ્રતિમામાં ઉપયોગને લીન કરે, વા
પંચપરમેષ્ઠિવાચક અક્ષરોનું ધ્યાન કરે તથા (એમ કરતાં) ઉપયોગ કોઈ
હરકત તરફ જાય તો ત્યાં કર્મોદયની જાતિને ચિંતવે કે આ
શાતાવેદનીયનું ફળ છે, વા આ અશાતાવેદનીયની જાતિ છે, વા આ
અંતરાયના ઉદયની જાતિ છે ઇત્યાદિ કર્મના ઉદયને ચિંતવે? આટલું
વિશેષ કહ્યું. વળી આ પ્રમાણે પણ વિશેષ જાણવું કે
મર્યાદા આદિ ક્રિયામાં હીન-અધિક પણ થાય છે, અને અહીં પ્રતિમાની
પ્રતિજ્ઞા છે તે તો અતિચાર રહિત શુદ્ધ પળાય છે, ઉપસર્ગાદિના
નિમિત્તથી પ્રતિજ્ઞાથી ચળતો નથી એમ જાણવું. આના પાંચ અતિચાર
છે. મન-વચન-કાયનું અસ્થિર થવું, અનાદર કરવો, ભૂલી જવું એ
(પાંચ) અતિચાર ન લગાવે. એ પ્રમાણે બાર ભેદની અપેક્ષાએ આ
સામાયિકપ્રતિમા ચોથો ભેદ થયો.