પૂર્ણિમાના પ્રભાતકાળમાં સામાયિક, વંદનાદિ કરી – જિનપૂજનવિધાન કરી,
ત્રણ પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે
ભોજન કરે તેને પ્રોષધપ્રતિમા હોય છે.
ભાવાર્થઃ — પહેલાં શિક્ષાવ્રતમાં પ્રોષધની વિધિ કહી હતી તે
અહીં પણ જાણવી. ગૃહવ્યાપાર – ભોગઉપભોગની સમસ્ત સામગ્રીનો
ત્યાગ કરી એકાન્તમાં જઈ સોળ પહોર ધર્મધ્યાનમાં વ્યતીત કરે, અને
અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં સોળ પહોરના વખતનો નિયમ
કહ્યો નહોતો – અતિચારાદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો
પ્રતિમાની પ્રતિજ્ઞા છે તેથી સોળ પહોરના ઉપવાસનો નિયમ કરી
અતિચાર રહિત પ્રોષધ કરે છે. આ પ્રોષધપ્રતિમાના પાંચ અતિચાર છે
ઃ જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવી – મૂકવી, સૂવા – બેસવાનું
સંસ્તરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્નરહિત કરવું, આ પ્રમાણે
ત્રણ અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદર – અપ્રીતિ કરવી અને
ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું આ પાંચ અતિચાર લાગવા દે નહિ. (તે
નિરતિચાર પ્રોષધોપવાસપ્રતિમા છે.)
હવે પ્રોષધનું માહાત્મ્ય કહે છે.ઃ —
एक्कं पि णिरारंभं उववासं जो करेदि उवसंतो ।
बहुभवसंचियकम्मं सो णाणी खवदि लीलाए ।।३७७।।
एकं अपि निरारम्भं उपवासं यः करोति उपशान्तः ।
बहुभवसञ्चितकर्म सः ज्ञानी क्षपति लीलया ।।३७७।।
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ, આરંભનો ત્યાગ કરી
ઉપશમભાવ-મંદકષાયરૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણા
ભવોનાં સંચિત કરેલાં – બાંધેલાં કર્મોને લીલામાત્રમાં ક્ષય કરે છે.
ભાવાર્થઃ — કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી, આલોક
-પરલોકના ભોગોની વાંચ્છા છોડી જો એક ઉપવાસ કરે તો તે ઘણા
કર્મોની નિર્જરા કરે છે, તો પછી જે પ્રોષધપ્રતિમા અંગીકાર કરી એક
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૦૭