ધર્માનુપ્રેક્ષા ]
પૂર્ણિમાના પ્રભાતકાળમાં સામાયિક, વંદનાદિ કરી – જિનપૂજનવિધાન કરી, ત્રણ પ્રકારના પાત્રોનું પડગાહન કરી તેમને ભોજન કરાવી પછી પોતે ભોજન કરે તેને પ્રોષધપ્રતિમા હોય છે.
ભાવાર્થઃ — પહેલાં શિક્ષાવ્રતમાં પ્રોષધની વિધિ કહી હતી તે અહીં પણ જાણવી. ગૃહવ્યાપાર – ભોગઉપભોગની સમસ્ત સામગ્રીનો ત્યાગ કરી એકાન્તમાં જઈ સોળ પહોર ધર્મધ્યાનમાં વ્યતીત કરે, અને અહીં વધારામાં આટલું સમજવું કે ત્યાં સોળ પહોરના વખતનો નિયમ કહ્યો નહોતો – અતિચારાદિ દોષ પણ લાગતા હતા, પરંતુ અહીં તો પ્રતિમાની પ્રતિજ્ઞા છે તેથી સોળ પહોરના ઉપવાસનો નિયમ કરી અતિચાર રહિત પ્રોષધ કરે છે. આ પ્રોષધપ્રતિમાના પાંચ અતિચાર છે ઃ જે વસ્તુ જે સ્થાનમાં રાખી હોય તેને ઉઠાવવી – મૂકવી, સૂવા – બેસવાનું સંસ્તરણ કરવું, એ બધું વગર દેખે જાણે યત્નરહિત કરવું, આ પ્રમાણે ત્રણ અતિચાર તો આ, તથા ઉપવાસમાં અનાદર – અપ્રીતિ કરવી અને ક્રિયાકર્મનું વિસ્મરણ કરવું આ પાંચ અતિચાર લાગવા દે નહિ. (તે નિરતિચાર પ્રોષધોપવાસપ્રતિમા છે.)
હવે પ્રોષધનું માહાત્મ્ય કહે છે.ઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ, આરંભનો ત્યાગ કરી ઉપશમભાવ-મંદકષાયરૂપ થઈને એક પણ ઉપવાસ કરે છે તે ઘણા ભવોનાં સંચિત કરેલાં – બાંધેલાં કર્મોને લીલામાત્રમાં ક્ષય કરે છે.
ભાવાર્થઃ — કષાય, વિષય અને આહારનો ત્યાગ કરી, આલોક -પરલોકના ભોગોની વાંચ્છા છોડી જો એક ઉપવાસ કરે તો તે ઘણા કર્મોની નિર્જરા કરે છે, તો પછી જે પ્રોષધપ્રતિમા અંગીકાર કરી એક