Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 378-379.

< Previous Page   Next Page >


Page 208 of 297
PDF/HTML Page 232 of 321

 

background image
પક્ષમાં બે ઉપવાસ કરે તેના સંબંધમાં શું કહેવું! તે સ્વર્ગસુખ ભોગવી
મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે આરંભાદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મનિર્જરા થતી
નથી, એમ કહે છેઃ
उववासं कुव्वंतो आरंभं जो करेदि मोहादो
सो णियदेहं सोसदि ण झाडए कम्मलेसं पि ।।३७८।।
उपवासं कुर्वन् आरम्भं यः करोति मोहात्
सः निजदेहं शोषयति न उज्झति कर्मलेशं अपि ।।३७८।।
અર્થઃજે ઉપવાસ કરીને ઘરકાર્યના મોહથી ઘર સંબંધી
આરંભ કરે છે તે પોતાના દેહને (માત્ર) સૂકવે છે, પણ તેને લેશમાત્ર
કર્મનિર્જરા થતી નથી.
ભાવાર્થઃજે વિષયકષાય છોડ્યા વિના કેવળ આહારમાત્ર જ
ત્યાગ કરે છે અને સમસ્ત ઘરકાર્ય કરે છે તે પુરુષ માત્ર દેહને જ
સૂકવે છે, તેને લેશમાત્ર પણ કર્મનિર્જરા થતી નથી.
હવે સચિત્તત્યાગપ્રતિમા કહે છેઃ
सच्चित्तं पत्तफलं छल्ली मूलं च किसलयं बीयं
जो ण य भक्खदि णाणी सचित्तविरदो हवे सो दु ।।३७९।।
सचित्तं पत्रं फलं त्वक् मूलं च किशलयं बीजम्
यः न च भक्षयति ज्ञानी सचित्तविरतः भवेत् सः तु ।।३७९।।
અર્થઃજે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ
અને બીજ એ સચિત્તને ભક્ષણ કરતો નથી, તેને સચિત્તવિરતિશ્રાવક
કહે છે.
ભાવાર્થઃજીવોથી સહિત હોય તેને સચિત્ત કહે છે. પત્ર, ફળ,
છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચિત્ત વનસ્પતિને ન ખાય
૨૦૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા