પક્ષમાં બે ઉપવાસ કરે તેના સંબંધમાં શું કહેવું! તે સ્વર્ગસુખ ભોગવી
મોક્ષને પ્રાપ્ત થાય છે.
હવે આરંભાદિના ત્યાગ વિના ઉપવાસ કરે તેને કર્મનિર્જરા થતી
નથી, એમ કહે છેઃ —
उववासं कुव्वंतो आरंभं जो करेदि मोहादो ।
सो णियदेहं सोसदि ण झाडए कम्मलेसं पि ।।३७८।।
उपवासं कुर्वन् आरम्भं यः करोति मोहात् ।
सः निजदेहं शोषयति न उज्झति कर्मलेशं अपि ।।३७८।।
અર્થઃ — જે ઉપવાસ કરીને ઘરકાર્યના મોહથી ઘર સંબંધી
આરંભ કરે છે તે પોતાના દેહને (માત્ર) સૂકવે છે, પણ તેને લેશમાત્ર
કર્મનિર્જરા થતી નથી.
ભાવાર્થઃ — જે વિષય – કષાય છોડ્યા વિના કેવળ આહારમાત્ર જ
ત્યાગ કરે છે અને સમસ્ત ઘરકાર્ય કરે છે તે પુરુષ માત્ર દેહને જ
સૂકવે છે, તેને લેશમાત્ર પણ કર્મનિર્જરા થતી નથી.
હવે સચિત્તત્યાગપ્રતિમા કહે છેઃ —
सच्चित्तं पत्तफलं छल्ली मूलं च किसलयं बीयं ।
जो ण य भक्खदि णाणी सचित्तविरदो हवे सो दु ।।३७९।।
सचित्तं पत्रं फलं त्वक् मूलं च किशलयं बीजम् ।
यः न च भक्षयति ज्ञानी सचित्तविरतः भवेत् सः तु ।।३७९।।
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક પત્ર, ફળ, છાલ, મૂળ, કુંપળ
અને બીજ એ સચિત્તને ભક્ષણ કરતો નથી, તેને સચિત્તવિરતિશ્રાવક
કહે છે.
ભાવાર્થઃ — જીવોથી સહિત હોય તેને સચિત્ત કહે છે. પત્ર, ફળ,
છાલ, મૂળ, બીજ અને કુંપળ ઇત્યાદિ લીલી સચિત્ત વનસ્પતિને ન ખાય
૨૦૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા