Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 382.

< Previous Page   Next Page >


Page 210 of 297
PDF/HTML Page 234 of 321

 

background image
કઠણ છે એવી જીહ્વાઇન્દ્રિયને જીતી, દયાભાવ પ્રગટ કર્યો તથા
જિનેશ્વરદેવના વચનનું પાલન કર્યું.
ભાવાર્થઃસચિત્તના ત્યાગમાં મોટો ગુણ છે, તેનાથી
જીહ્વાઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દયા પળાય છે તથા
ભગવાનનાં વચનનું પાલન થાય છે; કારણ કે હરિતકાયાદિ સચિત્તમાં
ભગવાને જીવ કહ્યા છે એ આજ્ઞા પાલન થઈ. સચિત્તમાં મળેલી વા
સચિત્તથી બંધ
સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિક તેના અતિચાર છે. એ
અતિચાર લગાવે નહિ તો શુદ્ધ ત્યાગ થાય અને ત્યારે જ પ્રતિમાનું
પાલન થાય છે. ભોગોપભોગવ્રત અને દેશાવકાશિકવ્રતમાં પણ સચિત્તનો
ત્યાગ કહ્યો છે, પરંતુ ત્યાં નિરતિચાર
નિયમરૂપ (ત્યાગ) નથી અને
અહીં નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. એ પ્રમાણે સચિત્તત્યાગ
નામની પાંચમી પ્રતિમાનું વા બાર ભેદોમાં છઠ્ઠા ભેદનું વર્ણન કર્યું.
હવે રાત્રિભોજનત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા કહે છેઃ
जो चउविहं पि भोज्जं रयणीए णेव भुंजदे णाणी
ण य भुंजावदि अण्णं णिसिविरओ सो हवे भोज्जो ।।३८२।।
यः चतुर्विधं अपि भोज्यं रजन्यां नैव भुंक्ते ज्ञानी
न च भोजयति अन्यं निशिविरतः सः भवेत् भोज्यः ।।३८२।।
અર્થઃજે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક રાત્રિ વિષે ચાર પ્રકારના
અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહારને ભોગવતો નથી-ખાતો નથી
તથા બીજાને તેવું ભોજન કરાવતો નથી તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી
હોય છે.
ભાવાર્થઃમાંસભક્ષણદોષ તથા બહુઆરંભી ત્રસઘાતદોષની
અપેક્ષાએ રાત્રિભોજનનો ત્યાગ તો પહેલીબીજી પ્રતિમામાં કરાવ્યો છે.
પરંતુ ત્યાં તો કૃત-કારિત-અનુમોદના તથા મન-વચન-કાયાના કોઈ દોષ
લાગે છે, તેથી શુદ્ધ ત્યાગ નથી અને અહીં તો (એ બધા દોષો ટાળી)
શુદ્ધ ત્યાગ થાય છે, માટે તેને પ્રતિમા કહી છે.
૨૧૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા