ધર્માનુપ્રેક્ષા ]
संवत्सरस्य मध्ये आरम्भं त्यजति रजन्याम् ।।३८३।।
અર્થઃ — જે પુરુષ રાત્રિભોજન છોડે છે તે એક વરસદહાડે છ માસના ઉપવાસ કરે છે, રાત્રિભોજનના ત્યાગથી ભોજનસંબંધી આરંભ પણ ત્યાગે છે તથા વ્યાપારાદિ સંબંધી આરંભ પણ છોડે છે. તેથી મહાન દયાપાલન કરે છે.
ભાવાર્થઃ — જે રાત્રિભોજન ત્યાગે છે તે વરસદહાડે છ માસના ઉપવાસ કરે છે તથા અન્ય આરંભનો પણ રાત્રિમાં ત્યાગ કરે છે. વળી અન્ય ગ્રન્થોમાં આ પ્રતિમામાં દિવામૈથુનત્યાગ એટલે દિવસમાં મન -વચન-કાય, કૃત-કારિત-અનુમોદના પૂર્વક સ્ત્રીસેવનનો ત્યાગ પણ કહ્યો છે. એ પ્રમાણે રાત્રિભોજનત્યાગ પ્રતિમાનું નિરૂપણ કર્યું. આ પ્રતિમા છઠ્ઠી છે તથા બાર ભેદોમાં સાતમો ભેદ છે.
હવે બ્રહ્મચર્યપ્રતિમાનું નિરૂપણ કરે છે.ઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક દેવાંગના, મનુષ્યણી, તિર્યંચણી અને ચિત્રામણની ઇત્યાદિ ચારે પ્રકારની બધીય સ્ત્રીઓનો મન