Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 389-390.

< Previous Page   Next Page >


Page 214 of 297
PDF/HTML Page 238 of 321

 

background image
ભાવાર્થઃઆહારના અર્થે ગૃહસ્થકાર્યના આરંભાદિકની પણ
અનુમોદના ન કરે, ઉદાસીન થઈ ઘરમાં પણ રહે વા બાહ્ય ચૈત્યાલય
મઠ-મંડપમાં પણ વસે, ભોજન માટે પોતાને ઘરે વા અન્ય શ્રાવક
બોલાવે તો ત્યાં ભોજન કરી આવે. વળી એમ પણ ન કહે કે ‘અમારા
માટે ફલાણી વસ્તુ તૈયાર કરજો’. ગૃહસ્થ જે કાંઈ જમાડે તે જ જમી
આવે. તે દશમી પ્રતિમાધારી શ્રાવક હોય છે.
जो पुण चिंतदि कज्जं सुहासुहं रायदोससंजुत्तो
उवओगेण विहीणं स कुणदि पावं विणा कज्जं ।।३८९।।
यः पुनः चिन्तयति कार्यं शुभाशुभं रागद्वेषसंयुतः
उपयोगेन विहीनः सः करोति पापं विना कार्यम् ।।३८९।।
અર્થઃજે પ્રયોજન વિના રાગ-દ્વેષ સહિત બની શુભ
-અશુભકાર્યોનું ચિંતવન કરે છે તે પુરુષ વિના કાર્ય પાપ ઉપજાવે છે.
ભાવાર્થઃપોતે તો ત્યાગી બન્યો છે છતાં વિના પ્રયોજન
પુત્રજન્મપ્રાપ્તિવિવાહાદિક શુભકાર્યો તથા કોઈને પીડા આપવી, મારવો,
બાંધવો ઇત્યાદિક અશુભકાર્યોએમ શુભાશુભ કાર્યોનું ચિંતવન કરી જે
રાગ-દ્વેષ પરિણામ વડે નિરર્થક પાપ ઉપજાવે છે તેને દશમી પ્રતિમા કેમ
હોય? તેને તો એવી બુદ્ધિ જ રહે કે ‘જે પ્રકારનું ભવિતવ્ય છે તેમ
જ થશે, જેમ આહારાદિ મળવાં હશે તેમ જ મળી રહેશે’. એવા
પરિણામ રહે તો અનુમતિત્યાગનું પાલન થાય છે. એ પ્રમાણે બાર
ભેદમાં અગિયારમો ભેદ કહ્યો.
હવે ઉદ્દિષ્ટવિરતિ નામની અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ
जो णवकोडिविसुद्धं भिक्खायरणेण भुंजदे भोज्जं
जायणरहियं जोग्गं उद्दिट्ठाहारविरदो सो ।।३९०।।
यः नवकोटिविशुद्धं भिक्षाचरणेन भुंक्ते भोज्यम्
याचनरहितं योग्यं उद्दिष्टाहारविरतः सः ।।३९०।।
૨૧૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા