૨૧૪ ]
ભાવાર્થઃ — આહારના અર્થે ગૃહસ્થકાર્યના આરંભાદિકની પણ અનુમોદના ન કરે, ઉદાસીન થઈ ઘરમાં પણ રહે વા બાહ્ય ચૈત્યાલય – મઠ-મંડપમાં પણ વસે, ભોજન માટે પોતાને ઘરે વા અન્ય શ્રાવક બોલાવે તો ત્યાં ભોજન કરી આવે. વળી એમ પણ ન કહે કે ‘અમારા માટે ફલાણી વસ્તુ તૈયાર કરજો’. ગૃહસ્થ જે કાંઈ જમાડે તે જ જમી આવે. તે દશમી પ્રતિમાધારી શ્રાવક હોય છે.
અર્થઃ — જે પ્રયોજન વિના રાગ-દ્વેષ સહિત બની શુભ -અશુભકાર્યોનું ચિંતવન કરે છે તે પુરુષ વિના કાર્ય પાપ ઉપજાવે છે.
ભાવાર્થઃ — પોતે તો ત્યાગી બન્યો છે છતાં વિના પ્રયોજન પુત્રજન્મપ્રાપ્તિ – વિવાહાદિક શુભકાર્યો તથા કોઈને પીડા આપવી, મારવો, બાંધવો ઇત્યાદિક અશુભકાર્યો — એમ શુભાશુભ કાર્યોનું ચિંતવન કરી જે રાગ-દ્વેષ પરિણામ વડે નિરર્થક પાપ ઉપજાવે છે તેને દશમી પ્રતિમા કેમ હોય? તેને તો એવી બુદ્ધિ જ રહે કે ‘જે પ્રકારનું ભવિતવ્ય છે તેમ જ થશે, જેમ આહારાદિ મળવાં હશે તેમ જ મળી રહેશે’. એવા પરિણામ રહે તો અનુમતિત્યાગનું પાલન થાય છે. એ પ્રમાણે બાર ભેદમાં અગિયારમો ભેદ કહ્યો.
હવે ઉદ્દિષ્ટવિરતિ નામની અગિયારમી પ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ —