Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 391.

< Previous Page   Next Page >


Page 215 of 297
PDF/HTML Page 239 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૧૫

અર્થઃજે શ્રાવક મન-વચન-કાયા તથા કૃત-કારિત -અનુમોદનાજન્ય નવ પ્રકારના દોષરહિત અર્થાત્ નવ કોટિએ શુદ્ધ આહાર ભિક્ષાચરણપૂર્વક ગ્રહણ કરે, તેમાં પણ યાચનારહિત ગ્રહણ કરે પણ યાચના પૂર્વક ન ગ્રહણ કરે, તેમાં પણ યોગ્ય (નિર્દોષ) ગ્રહણ કરે પણ સચિત્તાદિ દોષસહિત અયોગ્ય હોય તો ન ગ્રહણ કરે, તે ઉદ્દિષ્ટઆહારનો ત્યાગી છે.

ભાવાર્થઃજે ઘર છોડી મઠમંડપમાં રહેતો હોય, ભિક્ષાચરણથી આહાર લેતો હોય, પણ પોતાના નિમિત્તે કોઈએ આહાર બનાવ્યો હોય તો તે આહાર ન લે, યાચનાપૂર્વક ન લે તથા માંસાદિક વા સચિત્ત એવો અયોગ્ય આહાર ન લે, તે ઉદ્દિષ્ટવિરતિ શ્રાવક છે.

હવે ‘અંતસમયમાં શ્રાવક આરાધના કરે’ એમ કહે છેઃ

जो सावयवयसुद्धो अंते आराहणं परं कुणदि
सो अच्चुदम्हि सग्गे इंदो सुरसेविदो होदि ।।३९१।।
यः श्रावकव्रतशुद्धः अन्ते आराधनं परं करोति
सः अच्युते स्वर्गे इन्द्रः सुरसेवितः भवति ।।३९१।।

અર્થઃજે શ્રાવક વ્રતોથી શુદ્ધ છે તથા અંતસમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપરૂપી ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અચ્યુત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે.

ભાવાર્થઃજે સમ્યગ્દ્રષ્ટિશ્રાવક નિરતિચારપણે અગિયાર પ્રતિમારૂપ શુદ્ધ વ્રતનું પાલન કરે છે અને અંતસમયે મરણકાળમાં દર્શનજ્ઞાનચારિત્રતપ (એ ચાર) આરાધનાને આરાધે છે તે અચ્યુતસ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ, ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના બે ભેદ કહ્યા છે. પ્રથમ ભેદવાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા અસ્તરાથી સોરાવે (ક્ષૌર કરાવે), પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે વા પાત્રમાં પણ કરે,