Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 400-401.

< Previous Page   Next Page >


Page 228 of 297
PDF/HTML Page 252 of 321

 

background image
વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી
હિત થાય એવાં મીઠાં
મનોહરવૈરાગ્યહેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા
રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાક્યશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ
છે. સંયમના પાંચ ભેદ કહ્યા છેઃ સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર-
વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ
વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
હવે ઉત્તમ તપધર્મ કહે છેઃ
इहपरलोयसुहाणं णिरवेक्खो जो करेदि समभावो
विविहं कायकिलेसं तवधम्मो णिम्मलो तस्स ।।४००।।
इहपरलोकसुखानां निरपेक्षः यः करोति समभावः
विविधं कायक्लेशं तपोधर्मः निर्मलः तस्य ।।४००।।
અર્થઃજે મુનિ આલોકપરલોકના સુખની અપેક્ષારહિત તથા
સુખદુઃખ, શત્રુમિત્ર, તૃણકંચન અને નિંદાપ્રસંશાદિમાં રાગ-દ્વેષ-
રહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે, તે મુનિને નિર્મલ
અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
ભાવાર્થઃચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ
કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં
વિભાવપરિણતિના સંસ્કાર થાય છે તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે.
પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે
છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યંતર ભેદથી બાર
પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ
પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું.
હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છેઃ
जो चयदि मिट्ठभोज्जं उवयरणं रायदोससंजणयं
वसदिं ममत्तहेदुं चायगुणो सो हवे तस्स ।।४०१।।
૨૨૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા