૨૨૮ ]
વચન ન પ્રવર્તે, જેમાં વ્રત-શીલનો ઉપદેશ હોય, પોતાનું તથા પરનું જેથી હિત થાય એવાં મીઠાં – મનોહર – વૈરાગ્યહેતુરૂપ, સ્વાત્મપ્રસંશા અને પરનિંદા રહિત સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વાક્યશુદ્ધિ છે. એ પ્રમાણે સંયમધર્મ છે. સંયમના પાંચ ભેદ કહ્યા છેઃ સામાયિક, છેદોપસ્થાપના, પરિહાર- વિશુદ્ધિ, સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત એવા પાંચ ભેદ છે. તેમનું વિશેષ વ્યાખ્યાન અન્ય ગ્રંથોથી જાણવું.
અર્થઃ — જે મુનિ આલોક – પરલોકના સુખની અપેક્ષારહિત તથા સુખ – દુઃખ, શત્રુ – મિત્ર, તૃણ – કંચન અને નિંદા – પ્રસંશાદિમાં રાગ-દ્વેષ- રહિત સમભાવી થઈ અનેક પ્રકારનો કાયક્લેશ કરે છે, તે મુનિને નિર્મલ અર્થાત્ ઉત્તમ તપધર્મ હોય છે.
ભાવાર્થઃ — ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ કહ્યું છે. ત્યાં તે કાયક્લેશ સહિત જ હોય છે, તેથી આત્મામાં વિભાવપરિણતિના સંસ્કાર થાય છે તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે. પોતાના શુદ્ધસ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે તે ઘણા જોરથી થંભે છે; એ જોર કરવું એ જ તપ છે. તે બાહ્ય-અભ્યંતર ભેદથી બાર પ્રકારનું કહ્યું છે. તેનું વર્ણન આગળ ચૂલિકામાં કરવામાં આવશે. એ પ્રમાણે ઉત્તમ તપધર્મનું વર્ણન કર્યું.
હવે ઉત્તમ ત્યાગધર્મ કહે છેઃ —