ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ-દ્વેષને ઉપજાવવાવાળાં ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસતિકાનો ત્યાગ કરે, તે મુનિને (ઉત્તમ) ત્યાગધર્મ હોય છે.
ભાવાર્થઃ — સંસાર-દેહ-ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલેથી જ છે; અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને કહ્યું છે. આહારથી કામ પડે છે તો ત્યાં સરસ – નીરસમાં મમત્વ કરતા નથી, પુસ્તક-પીંછી-કમંડલ એ ધર્મોપકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવાં ન રાખે, જે ગૃહસ્થજનના કામમાં ન આવે તથા કોઈ મોટી વસતિ – રહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઊપજે. એ પ્રમાણે (ઉત્તમ) ત્યાગધર્મ કહ્યો.
હવે ઉત્તમ આકિંચન્યધર્મને કહે છેઃ —
અર્થઃ — જે મુનિ મન-વચન-કાય – કૃત-કારિત-અનુમોદના પૂર્વક સર્વ ચેતન – અચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે – કેવો થતો થકો? લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છે — તે મુનિને નિર્ગ્રન્થપણું હોય છે.
ભાવાર્થઃ — મુનિ અન્ય પરિગ્રહ તો છોડે જ છે, પરંતુ મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તક -પીંછી-કમંડલ – આદિ ધર્મોપકરણ અને આહાર – વસતિકા – દેહ એમનાથી સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે ‘હું તો એક આત્મા જ