Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 402.

< Previous Page   Next Page >


Page 229 of 297
PDF/HTML Page 253 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૨૯
यः त्यजति मिष्टभोज्यं उपकरणं रागद्वेषसंजनकम्
वसतिं ममत्वहेतुकां त्यागगुणः सः भवेत् तस्य ।।४०१।।

અર્થઃજે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ-દ્વેષને ઉપજાવવાવાળાં ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણરૂપ વસતિકાનો ત્યાગ કરે, તે મુનિને (ઉત્તમ) ત્યાગધર્મ હોય છે.

ભાવાર્થઃસંસાર-દેહ-ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલેથી જ છે; અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને કહ્યું છે. આહારથી કામ પડે છે તો ત્યાં સરસનીરસમાં મમત્વ કરતા નથી, પુસ્તક-પીંછી-કમંડલ એ ધર્મોપકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવાં ન રાખે, જે ગૃહસ્થજનના કામમાં ન આવે તથા કોઈ મોટી વસતિરહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઊપજે. એ પ્રમાણે (ઉત્તમ) ત્યાગધર્મ કહ્યો.

હવે ઉત્તમ આકિંચન્યધર્મને કહે છેઃ

तिविहेण जो विवज्जदि चेयणमियरं च सव्वहा संगं
लोयववहारविरदो णिग्गंथत्तं हवे तस्स ।।४०२।।
त्रिविधेन यः वर्जयति चेतनं इतरं च सर्वथा सङ्गम्
लोकव्यवहारविरतः निर्ग्रन्थत्वं भवेत् तस्य ।।४०२।।

અર્થઃજે મુનિ મન-વચન-કાયકૃત-કારિત-અનુમોદના પૂર્વક સર્વ ચેતનઅચેતન પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છેકેવો થતો થકો? લોકવ્યવહારથી વિરક્ત થતો થકો ત્યાગ કરે છેતે મુનિને નિર્ગ્રન્થપણું હોય છે.

ભાવાર્થઃમુનિ અન્ય પરિગ્રહ તો છોડે જ છે, પરંતુ મુનિપણામાં યોગ્ય એવા ચેતન તો શિષ્ય-સંઘ તથા અચેતન પુસ્તક -પીંછી-કમંડલઆદિ ધર્મોપકરણ અને આહારવસતિકાદેહ એમનાથી સર્વથા મમત્વ ત્યાગ કરે. એવો વિચાર કરે કે ‘હું તો એક આત્મા જ