Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 403.

< Previous Page   Next Page >


Page 230 of 297
PDF/HTML Page 254 of 321

 

background image
છુંઅન્ય મારું કાંઈ પણ નથી, હું અકિંચન છું’એવું નિર્મમત્વ થાય
તેને (ઉત્તમ) આકિંચન્ય ધર્મ હોય છે.
હવે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ કહે છેઃ
जो परिहरेदि संगं महिलाणं णेव पस्सदे रूवं
कामकहादिणियत्तो णवहा बंभं हवे तस्स ।।४०३।।
यः परिहरति संगं महिलानां नैव पश्यति रूपम्
कामकथादिनिवृत्तः नवधा ब्रह्म भवेत् तस्य ।।४०३।।
અર્થઃજે મુનિ સ્ત્રીઓની સંગતિ ન કરે, તેમના રૂપને ન
નીરખે, કામની કથા તથા ‘આદિ’ શબ્દથી તેના સ્મરણાદિથી રહિત હોય,
એ પ્રમાણે મન-વચન-કાય, કૃત-કારિત-અનુમોદના એમ નવ પ્રકારથી
તેનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
ભાવાર્થઃઅહીં એમ પણ જાણવું કે‘બ્રહ્મ’ નામ આત્મા છે,
તેમાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. પરદ્રવ્યમાં આત્મા લીન થાય તેમાં
સ્ત્રીમાં લીન થવું પ્રધાન છે, કારણ કે કામ મનમાં ઉત્પન્ન થાય છે
એટલે અન્ય કષાયોથી પણ એ પ્રધાન છે, અને એ કામનું આલંબન
સ્ત્રી છે એટલે તેનો સંસર્ગ છોડી મુનિ પોતાના સ્વરૂપમાં લીન થાય છે.
તેની સંગતિ કરવી, રૂપ નીરખવું, તેની કથા કરવી, સ્મરણ કરવું
સર્વ છોડે તેને બ્રહ્મચર્ય હોય છે. અહીં (સંસ્કૃત) ટીકામાં શીલના અઢાર
હજાર ભેદ આ પ્રમાણે લખ્યા છેઃ
અચેતન સ્ત્રીકાષ્ઠ, પાષાણ અને લેપકૃત છે. તેના મન-વચન-કાય
તથા કૃત-કારિત-અનુમોદના એ છએ ગુણતાં અઢાર ભેદ થયા, તેને પાંચ
ઇન્દ્રિયોથી ગુણતાં નેવું ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં એકસો
એંશી ભેદ થયા, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ચારેથી ગુણતાં સાતસો
વીસ ભેદ થયા. (એ પ્રમાણે અચેતન સ્ત્રી
નૈમિત્તિક કુશીલ સાતસો વીસ
ભેદ થયું.) તથાઃ
૨૩૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા