Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 404.

< Previous Page   Next Page >


Page 231 of 297
PDF/HTML Page 255 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૩૧

ચેતન સ્ત્રીદેવાંગના, મનુષ્યણી અને તિર્યંચણી. એ ત્રણને કૃત -કારિત-અનુમોદનાથી ગુણતાં નવ ભેદ થયા, તેને મન-વચન-કાયા એ ત્રણથી ગુણતાં સત્તાવીશ ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં એકસો પાંત્રીસ ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં બસો સીત્તેર ભેદ થયા, તેને આહાર-ભય-મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં એક હજાર એંશી ભેદ થયા, તેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનરૂપ ક્રોધ-માન-માયા-લોભરૂપ સોળ કષાયોથી ગુણતાં સત્તર હજાર બસો એંશી ભેદ થયા, તેમાં ઉપરના અચેતનસ્ત્રીનૈમિત્તિક સાતસો વીસ મેળવતાં કુશીલના ૧૮૦૦૦અઢાર હજાર ભેદ થાય છે. વળી એ ભેદોને અન્ય પ્રકારથી પણ કહ્યા છે તે અન્ય ગ્રંથોમાંથી જાણવા.

એ બધા આત્માના પરિણામવિકારના

ભેદ છે. તે બધાને છોડી જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે ત્યારે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.

હવે શીલવાનનું માહાત્મ્ય કહે છેઃ

जो णवि जादि वियारं तरुणियणकडक्खबाणविद्धो वि
सो चेव सूरसूरो रणसूरो णो हवे सूरो ।।४०४।।

અશુભ મન-વચન-કાયને શુભ મન-વચન-કાયથી હણવા એ રીતે શીલના નવ ભેદ થયા.

એ નવને અહાર, ભય, મૈથુન ને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓથી ગુણતાં ૩૬ ભેદ થયા.

એ છત્રીસને પાંચ ઇન્દ્રિયોના જયથી ગુણતાં ૧૮૦ ભેદ થયા. એ ૧૮૦ને પૃથ્વી, અપ્, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દશ ભેદથી ગુણતાં ૧૮૦૦ ભેદ થયા.

તેને ઉત્તમક્ષમાદિ દશધર્મે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થયા.

ષટ્પ્રાભૃતાદિસંગ્રહ પૃષ્ઠ૨૬૭