यः न अपि याति विकारं तरुणीजनकटाक्षबाणविद्धः अपि ।
सः एव शूरशूरः रणसूरः न भवेत् शूरः ।।४०४।।
અર્થઃ — જે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં
પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે
રણસંગ્રામમાં શૂરવીર છે તે (ખરેખર) શૂરવીર નથી.
ભાવાર્થઃ — યુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા
છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા
છે, એ જ ઘણા સાહસી – શૂરવીર અને કામને જીતવાવાળા ખરા સુભટ
છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
હવે તેને સંકોચે છેઃ —
एसो दहप्पयारो धम्मो दहलक्खणो हवे णियमा ।
अण्णो ण हवदि धम्मो हिंसा सुहुमा वि जत्थत्थि ।।४०५।।
एषः दशप्रकारः धर्मः दशलक्षणः भवेत् नियमात् ।
अन्यः न भवति धर्मः हिंसा सूक्ष्मा अपि यत्र अस्ति ।।४०५।।
અર્થઃ — આ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી
દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય
તે ધર્મ નથી.
ભાવાર્થઃ — જ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન
કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ
નિયમથી ધર્મ છે.
આ ગાથામાં કહ્યું કે — જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ
નથી.
હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છેઃ —
हिंसारंभो ण सुहो देवणिमित्तं गुरूण कज्जेसु ।
हिंसा पावं ति मदो दयापहाणो जदो धम्मो ।।४०६।।
૨૩૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા