Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 405-406.

< Previous Page   Next Page >


Page 232 of 297
PDF/HTML Page 256 of 321

 

૨૩૨ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
यः न अपि याति विकारं तरुणीजनकटाक्षबाणविद्धः अपि
सः एव शूरशूरः रणसूरः न भवेत् शूरः ।।४०४।।

અર્થઃજે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે રણસંગ્રામમાં શૂરવીર છે તે (ખરેખર) શૂરવીર નથી.

ભાવાર્થઃયુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા છે, એ જ ઘણા સાહસીશૂરવીર અને કામને જીતવાવાળા ખરા સુભટ છે. એ પ્રમાણે દસ પ્રકારથી યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.

હવે તેને સંકોચે છેઃ

एसो दहप्पयारो धम्मो दहलक्खणो हवे णियमा
अण्णो ण हवदि धम्मो हिंसा सुहुमा वि जत्थत्थि ।।४०५।।
एषः दशप्रकारः धर्मः दशलक्षणः भवेत् नियमात्
अन्यः न भवति धर्मः हिंसा सूक्ष्मा अपि यत्र अस्ति ।।४०५।।

અર્થઃઆ દસ પ્રકારરૂપ ધર્મ છે તે જ નિયમથી દશલક્ષણસ્વરૂપ ધર્મ છે, પરંતુ બીજા કે જ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય તે ધર્મ નથી.

ભાવાર્થઃજ્યાં હિંસા કરી તેમાં કોઈ અન્યમતી ધર્મ સ્થાપન કરે તેને ધર્મ કહી શકાય નહિ; આ દશલક્ષણસ્વરૂપ ધર્મ કહ્યો તે જ નિયમથી ધર્મ છે.

આ ગાથામાં કહ્યું કેજ્યાં સૂક્ષ્મ પણ હિંસા હોય ત્યાં ધર્મ નથી.

હવે એ જ અર્થને સ્પષ્ટતાપૂર્વક કહે છેઃ

हिंसारंभो ण सुहो देवणिमित्तं गुरूण कज्जेसु
हिंसा पावं ति मदो दयापहाणो जदो धम्मो ।।४०६।।