हिंसारम्भः न शुभः देवनिमित्तं गुरूणां कार्येषु ।
हिंसा पापं इति मतं दयाप्रधानः यतः धर्मः ।।४०६।।
અર્થઃ — ‘હિંસા થાય તે પાપ છે તથા જેમાં દયાપ્રધાન છે તે
ધર્મ છે’ એમ કહ્યું છે માટે દેવના અર્થે વા ગુરુકાર્યને અર્થે હિંસા
-આરંભ કરવાં તે શુભ નથી.
ભાવાર્થઃ — અન્યમતી હિંસામાં ધર્મ સ્થાપન કરે છે. મીમાંસક
તો યજ્ઞ કરે છે તેમાં પશુઓને હોમી તેનું શુભ ફળ બતાવે છે; દેવી
– ભૈરવના ઉપાસકો બકરાં વગેરે મારી દેવી – ભૈરવને ચઢાવે છે અને તેનું
શુભ ફળ માને છે; બૌદ્ધમતી હિંસા કરી માંસાદિકના આહારને શુભ
કહે છે તથા શ્વેતામ્બરોનાં કેટલાંક સૂત્રોમાં એમ કહ્યું છે કે – ‘દેવ-ગુરુ
-ધર્મના માટે ચક્રવર્તીની સેનાને પીલી નાંખવી; જે સાધુ આ પ્રમાણે નથી
કરતો તે અનંતસંસારી થાય છે. વળી કોઈ ઠેકાણે મદ્ય – માંસનો આહાર
પણ તેમાં લખ્યો છે. એ સર્વનો આ ગાથાથી નિષેધ કર્યો છે એમ
સમજવું, જે દેવ-ગુરુના કાર્ય માટે પણ હિંસાનો આરંભ કરે છે તે શુભ
નથી, ધર્મ તો દયાપ્રધાન જ છે.
વળી આ પ્રમાણે પણ સમજવું કે પૂજા, પ્રતિષ્ઠા, ચૈત્યાલયનું
નિર્માપન, સંઘ – યાત્રા તથા વસતિકાનું નિર્માપન આદિ ગૃહસ્થનાં કાર્યો
છે, તેને પણ મુનિ પોતે ન કરે, ન કરાવે, ન અનુમોદે; કારણ કે તે
ગૃહસ્થોનો ધર્મ છે. તેમનું વિધાન સૂત્રમાં લખ્યું હોય તેમ ગૃહસ્થ કરે.
ગૃહસ્થ મુનિને આ સંબંધી પ્રશ્ન કરે તો મુનિ આમ કહે કે
‘જિનસિદ્ધાન્તમાં ગૃહસ્થનો ધર્મ પૂજા – પ્રતિષ્ઠાદિ લખ્યો છે તેમ કરો.’
આ પ્રમાણે કહેવામાં હિંસાનો દોષ તો ગૃહસ્થને જ છે, માત્ર એ
શ્રદ્ધાન — ભક્તિધર્મની પ્રધાનતા તેમાં જે થઈ, એ સંબંધી જે પુણ્ય થયું.
તેના સીરી (ભાગીદાર) મુનિ પણ છે, પરંતુ હિંસા તો ગૃહસ્થની છે,
તેના સીરી (ભાગીદાર) નથી. વળી ગૃહસ્થ પણ જો હિંસા કરવાનો
અભિપ્રાય કરે તો તે અશુભ જ છે. પૂજા – પ્રતિષ્ઠા યત્નપૂર્વક કરે છે
તે કાર્યમાં ગૃહસ્થને હિંસા થાય તો તે કેમ ટળે? તેનું સમાધાન આ
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૩