Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 407-408.

< Previous Page   Next Page >


Page 234 of 297
PDF/HTML Page 258 of 321

 

૨૩૪ ]

[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા

છે કેસિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે, કે અલ્પ અપરાધ લાગતાં પણ જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય ગૃહસ્થે કરવું યોગ્ય છે. ગૃહસ્થ તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.

देवगुरूण णिमित्तं हिंसारंभो वि होदि जदि धम्मो
हिंसारहिदो धम्मो इदि जिणवयणं हवे अलियं ।।४०७।।
देवगुर्वोः निमित्तं हिंसारम्भः अपि भवति यदि धर्मः
हिंसारहितः धर्मः इति जिनवचनं भवेत् अलीकम् ।।४०७।।

અર્થઃદેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે ‘ધર્મ હિંસા રહિત છે’ એ વચન જૂઠ ઠરે.

ભાવાર્થઃભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવ -ગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતાંબર કહે છે તે મિથ્યા છે.

હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છેઃ

इदि एसो जिणधम्मो अलद्धपुव्वो अणाइकाले वि
मिछत्तसंजुदाणं जीवाणं लद्धिहीणाणं ।।४०८।।
इति एषः जिनधर्मः अलब्धपूर्वः अनादिकाले अपि
मिथ्यात्वसंयुतानां जीवानां लब्धिहीनानाम् ।।४०८।।

અર્થઃએ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે, જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.

ભાવાર્થઃજીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ) એવી છે કે તેને જીવઅજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી