છે કે – સિદ્ધાન્તમાં આમ પણ કહ્યું છે, કે અલ્પ અપરાધ લાગતાં પણ
જો ઘણું પુણ્ય થતું હોય તો એવું કાર્ય ગૃહસ્થે કરવું યોગ્ય છે. ગૃહસ્થ
તો જેમાં નફો જાણે તે કાર્ય કરે; જેમ થોડું દ્રવ્ય આપતાં પણ જો ઘણું
દ્રવ્ય આવતું હોય તો તે કાર્ય કરે છે. પણ મુનિને એવાં કાર્ય હોતાં
નથી. તેને તો સર્વથા યત્નપૂર્વક જ પ્રવર્તવું યોગ્ય છે એમ સમજવું.
देवगुरूण णिमित्तं हिंसारंभो वि होदि जदि धम्मो ।
हिंसारहिदो धम्मो इदि जिणवयणं हवे अलियं ।।४०७।।
देवगुर्वोः निमित्तं हिंसारम्भः अपि भवति यदि धर्मः ।
हिंसारहितः धर्मः इति जिनवचनं भवेत् अलीकम् ।।४०७।।
અર્થઃ — દેવગુરુના અર્થે હિંસાનો આરંભ પણ જો યતિનો ધર્મ
હોય તો જિનભગવાનનાં એવાં વચન છે કે ‘ધર્મ હિંસા રહિત છે’ એ
વચન જૂઠ ઠરે.
ભાવાર્થઃ — ભગવાને ધર્મ તો હિંસા રહિત કહ્યો છે માટે દેવ
-ગુરુના કાર્ય અર્થે પણ મુનિ હિંસાનો આરંભ ન કરે, શ્વેતાંબર કહે છે
તે મિથ્યા છે.
હવે ધર્મનું દુર્લભપણું દર્શાવે છેઃ —
इदि एसो जिणधम्मो अलद्धपुव्वो अणाइकाले वि ।
मिछत्तसंजुदाणं जीवाणं लद्धिहीणाणं ।।४०८।।
इति एषः जिनधर्मः अलब्धपूर्वः अनादिकाले अपि ।
मिथ्यात्वसंयुतानां जीवानां लब्धिहीनानाम् ।।४०८।।
અર્થઃ — એ પ્રમાણે જે જીવ અનાદિકાળથી મિથ્યાત્વસંયુક્ત છે,
જેને કાળાદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી, તેને આ જિનેશ્વરદેવનો ધર્મ
અલબ્ધપૂર્વ છે અર્થાત્ પૂર્વે કદી પણ તે પામ્યો નથી.
ભાવાર્થઃ — જીવોને અનાદિકાળથી મિથ્યાત્વની અલટ (ગાંઠ)
એવી છે કે તેને જીવ – અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન કદી પણ થયું નથી
૨૩૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા