Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 411-412.

< Previous Page   Next Page >


Page 236 of 297
PDF/HTML Page 260 of 321

 

background image
पुण्यं अपि यः समिच्छति संसारः तेन ईहितः भवति
पुण्यं सद्गतिहेतुः पुण्यक्षयेण एव निर्वाणम् ।।४१०।।
અર્થઃજે પુણ્યને પણ ઇચ્છે છે તે પુરુષે સંસાર ઇચ્છ્યો,
કારણ કે પુણ્ય છે તે સુગતિના બંધનું કારણ છે અને મોક્ષ છે તે તો
પુણ્યનો પણ ક્ષય કરી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃપુણ્યથી સુગતિ થાય છે એટલે જેણે પુણ્ય વાંચ્છ્યું
તેણે સંસાર વાંચ્છ્યો, કારણ કે સુગતિ છે તે પણ સંસાર જ છે; અને
મોક્ષ તો પુણ્યનો પણ ક્ષય થતાં થાય છે એટલે મોક્ષાર્થીએ પુણ્યની
વાંચ્છા કરવી યોગ્ય નથી.
जो अहिलसेदि पुण्णं सकसाओ विसयसोक्खतह्णाए
दूरे तस्स विसोही विसोहिमूलाणि पुण्णाणि ।।४११।।
यः अभिलषति पुण्यं सकषायः विषयसौख्यतृष्णया
दूरे तस्य विशुद्धिः विशुद्धिमूलानि पुण्यानि ।।४११।।
અર્થઃજે કષાય સહિત થતો થકો વિષયસુખની તૃષ્ણાથી
પુણ્યની અભિલાષા કરે છે તેને મંદકષાયના અભાવથી વિશુદ્ધતા દૂર વર્તે
છે. અને પુણ્યકર્મ છે તે તો વિશુદ્ધતા (મંદકષાય) છે મૂળ
કારણ જેનું
એવું છે.
ભાવાર્થઃવિષયોની તૃષ્ણાથી જે પુણ્યને ઇચ્છે છે એ જ
તીવ્રકષાય છે અને પુણ્યબંધ થાય છે તે તો મંદકષાયરૂપ વિશુદ્ધતાથી
થાય છે, એટલે જે પુણ્યને ઇચ્છે છે તેને આગામી પુણ્યબંધ પણ થતો
નથી, નિદાનમાત્ર ફળ થાય તો થાય.
पुण्णासए ण पुण्णं जदो णिरीहस्स पुण्णसंपत्ती
इय जाणिऊण जइणो पुण्णे वि म आयरं कुणह ।।४१२।।
पुण्याशया न पुण्यं यतः निरीहस्य पुण्यसम्प्राप्तिः
इति ज्ञात्वा यतिनः पुण्ये अपि मा आदरं कुरुध्वम् ।।४१२।।
૨૩૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા