Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 414.

< Previous Page   Next Page >


Page 238 of 297
PDF/HTML Page 262 of 321

 

background image
વાંચ્છા કરે છે તેને પ્રથમ તો સાતિશય પુણ્યબંધ થતો જ નથી, અને
તપશ્ચરાણાદિ કરી કાંઈક પુણ્ય બાંધી ભોગ પામે અને ત્યાં અતિ
તૃષ્ણાપૂર્વક ભોગોને સેવે તો નરક
નિગોદ જ પામે, તથા બંધ-મોક્ષનું
સ્વરૂપ સાધવા માટે પુણ્ય પામે તેનો તો નિષેધ છે નહિ. પુણ્યથી મોક્ષ
સાધવાની સામગ્રી મળે એવો ઉપાય રાખે તો ત્યાં પરંપરાએ મોક્ષની
જ વાંચ્છા થઈ
પુણ્યની વાંચ્છા ન થઈ. જેમ કોઈ પુરુષ ભોજન
કરવાની વાંચ્છાથી રસોઈની સામગ્રી ભેળી કરે તેની વાંચ્છા પહેલી હોય
તો તેને ભોજનની જ વાંચ્છા કહેવાય, પરંતુ ભોજનની વાંચ્છા વિના
માત્ર સામગ્રીની જ વાંચ્છા કરે તો ત્યાં સામગ્રી મળવા છતાં પણ
પ્રયાસમાત્ર જ થયો પણ કાંઈ ફળ તો ન થયું એમ સમજવું. પુરાણોમાં
પુણ્યનો અધિકાર છે તે પણ મોક્ષના જ અર્થે છે, સંસારનો તો ત્યાં
પણ નિષેધ જ છે.
હવે દશલક્ષણધર્મ છે તે દયાપ્રધાન છે અને દયા છે તે જ
સમ્યક્ત્વનું મુખ્ય ચિહ્ન છે, કારણ કે સમ્યક્ત્વ છે તે જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ તત્ત્વાર્થોનાં જ્ઞાનપૂર્વક
શ્રદ્ધાનસ્વરૂપ છે, એ હોય તો સર્વ જીવોને તે પોતા સમાન અવશ્ય
જાણે, તેઓને દુઃખ થાય તો પોતાનાં દુઃખ માફક જાણે એટલે તેઓની
કરુણા અવશ્ય થાય.
વળી પોતાનું શુદ્ધસ્વરૂપ જાણે ત્યારે કષાયોને અપરાધરૂપ - દુઃખરૂપ
જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાયભાવના અભાવને
પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ
માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંકિતાદિ આઠ
અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં
પ્રથમ નિઃશંકિતઅંગ કહે છેઃ
किं जीवदया धम्मो जण्णे हिंसा वि होदि किं धम्मो
इच्चेवमादिसंका तदकरणं जाण णिस्संका ।।४१४।।
૨૩૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા