Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 415-416.

< Previous Page   Next Page >


Page 239 of 297
PDF/HTML Page 263 of 321

 

background image
किं जीवदया धर्मः यज्ञे हिंसा अपि भवति किं धर्मः
इत्येवमादिशंका तदकरणं जानीहि निःशंका ।।४१४।।
અર્થઃઆમ વિચાર કરે કેશું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં
પશુઓનો વધ કરવારૂપ હિંસા છે તે ધર્મ છે? ઇત્યાદિ ધર્મમાં સંશય
થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંકિત (ગુણ) છે.
ભાવાર્થઃઅહીં ‘આદિ’ શબ્દથી એમ કહ્યું છે કેદિગંબર
યતિનો જ મોક્ષ છે કે તાપસનોપંચાગ્નિ આદિ તપ કરે છે તેમનો
પણ છે? અથવા દિગમ્બરનો જ મોક્ષ છે કે શ્વેતામ્બરનો પણ છે?
અથવા કેવલી કવલાહાર કરે છે કે નથી કરતા? અથવા સ્ત્રીનો મોક્ષ
છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે
કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશંકિત અંગ છે.
दयभावो वि य धम्मो हिंसाभावो ण भण्णदे धम्मो
इदि संदेहाभावो णिस्संका णिम्मला होदि ।।४१५।।
दयाभावः अपि च धर्मः हिंसाभावः न भण्यते धर्मः
इति सन्देहाभावः निःशंका निर्मला भवति ।।४१५।।
અર્થઃનિશ્ચયથી દયાભાવ જ ધર્મ છે પણ હિંસાભાવને ધર્મ
કહી શકાય નહિ આવો નિશ્ચય થતાં સંદેહનો અભાવ થાય છે, તે જ
નિર્મલ નિઃશંકિતગુણ છે.
ભાવાર્થઃઅન્યમતીએ માનેલ જે વિપરીત દેવ-ધર્મ-ગુરુનો વા
તત્ત્વના સ્વરૂપનો સર્વથા નિષેધ કરી જિનમતમાં કહેલું શ્રદ્ધાન કરવું
તે નિઃશંકિતગુણ છે. જ્યાં સુધી શંકા રહે ત્યાં સુધી શ્રદ્ધાન નિર્મળ
થાય નહિ.
હવે નિઃકાંક્ષિતગુણ કહે છેઃ
जो सग्गसुहणिमित्तं धम्मं णायरदि दूसहतवेहिं
मोक्खं समीहमाणो णिक्कंक्खा जायदे तस्स ।।४१६।।
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૩૯