यः स्वर्गसुखनिमित्तं धर्मं न आचरति दुःसहतपोभिः ।
मोक्षं समीहमानः निःकाङ्क्षा जायते तस्य ।।४१६।।
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં
સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે
તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્છે છે.
ભાવાર્થઃ — જે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ
કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને
નિઃકાંક્ષિતગુણ હોય છે.
હને નિર્વિચિકિત્સાગુણ કહે છેઃ —
दहविहधम्मजुदाणं सहावदुग्गंधअसुइदेहेसु ।
जं णिंदणं ण कीरदि णिव्विदिगिंछागुणो सो हु ।।४१७।।
दशविधधर्मयुतानां स्वभावदुर्गन्धाशुचिदेहेषु ।
यत् निन्दनं न क्रियते निर्विचिकित्सागुणः सः स्फु टम् ।।४१७।।
અર્થઃ — પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગન્ધ – અશુચિમય છે
અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ – દુર્ગન્ધરૂપ
દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને
તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાગુણ છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિપુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શન
– જ્ઞાન – ચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહ તો સ્વભાવથી જ અશુચિ
– દુર્ગન્ધરૂપ છે, તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? તેમના રત્નત્રય
(સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ
ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યક્ત્વગુણ
પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે
છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું).
હવે અમૂઢદ્રષ્ટિગુણ કહે છેઃ —
૨૪૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા