Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 417.

< Previous Page   Next Page >


Page 240 of 297
PDF/HTML Page 264 of 321

 

background image
यः स्वर्गसुखनिमित्तं धर्मं न आचरति दुःसहतपोभिः
मोक्षं समीहमानः निःकाङ्क्षा जायते तस्य ।।४१६।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિ દુર્ધર તપ કરવા છતાં પણ સ્વર્ગનાં
સુખોને માટે ધર્મ આચરતો નથી તેને નિઃકાંક્ષિતગુણ હોય છે. કેવો છે
તે? તે દુર્ધર તપ કરી માત્ર એક મોક્ષને જ વાંચ્છે છે.
ભાવાર્થઃજે માત્ર એક મોક્ષાભિલાષાથી જ ધર્મનું આચરણ
કરે છે, દુર્ધર તપ કરે છે, પણ સ્વર્ગાદિકનાં સુખોને વાંચ્છતો નથી તેને
નિઃકાંક્ષિતગુણ હોય છે.
હને નિર્વિચિકિત્સાગુણ કહે છેઃ
दहविहधम्मजुदाणं सहावदुग्गंधअसुइदेहेसु
जं णिंदणं ण कीरदि णिव्विदिगिंछागुणो सो हु ।।४१७।।
दशविधधर्मयुतानां स्वभावदुर्गन्धाशुचिदेहेषु
यत् निन्दनं न क्रियते निर्विचिकित्सागुणः सः स्फु टम् ।।४१७।।
અર્થઃપ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગન્ધઅશુચિમય છે
અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિદુર્ગન્ધરૂપ
દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને
તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાગુણ છે.
ભાવાર્થઃસમ્યગ્દ્રષ્ટિપુરુષની દ્રષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહ તો સ્વભાવથી જ અશુચિ
દુર્ગન્ધરૂપ છે, તેથી મુનિરાજના દેહ તરફ શું દેખે? તેમના રત્નત્રય
(સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ
ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યક્ત્વગુણ
પ્રધાન નથી તેની દ્રષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે
છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું).
હવે અમૂઢદ્રષ્ટિગુણ કહે છેઃ
૨૪૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા