ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદ્રષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે? જિનવચનમાં લીન છે, ભગવાને ‘અહિંસાને જ ધર્મ કહ્યો છે’ એવી દ્રઢ શ્રદ્ધા યુક્ત છે.
ભાવાર્થઃ — અન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે તેને રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજજાથી વા કોઈ ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ એવી શ્રદ્ધા રાખે કે ‘ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે’ તેને અમૂઢદ્રષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ -શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદ્રષ્ટિવાન ન થાય — એમ સમજવું.
હવે ઉપગૂહનગુણ કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ પરના દોષને ઢાંકે – ગોપવે તથા પોતાના સુકૃત અર્થાત્ પુણ્ય – ગુણો લોકમાં પ્રકાશે નહિ – કહેતો ફરે નહિ, પણ આવી ભાવનામાં લીન રહે કે ‘જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે’ તે ઉપગૂહનગુણવાળો છે.
ભાવાર્થઃ — ‘જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે’ એવી ભાવના સમ્યગ્દ્રષ્ટિને