Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 418-419.

< Previous Page   Next Page >


Page 241 of 297
PDF/HTML Page 265 of 321

 

background image
भयलज्जालाहादो हिंसारंभो ण मण्णदे धम्मो
जो जिणवयणे लीणो अमूढदिट्ठी हवे सो हु ।।४१८।।
भयलज्जालाभात् हिंसारम्भः न मन्यते धर्मः
यः जिनवचने लीनः अमूढदृष्टिः भवेत् सः स्फु टम् ।।४१८।।
અર્થઃજે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના
આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદ્રષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે?
જિનવચનમાં લીન છે, ભગવાને ‘અહિંસાને જ ધર્મ કહ્યો છે’ એવી દ્રઢ
શ્રદ્ધા યુક્ત છે.
ભાવાર્થઃઅન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે તેને
રાજાના ભયથી, કોઈ વ્યંતરના ભયથી, લોકની લજજાથી વા કોઈ
ધનાદિકના લોભથી ઇત્યાદિ અનેક કારણોથી પણ ધર્મ ન માને, પરંતુ
એવી શ્રદ્ધા રાખે કે ‘ધર્મ તો ભગવાને અહિંસાને જ કહ્યો છે’ તેને
અમૂઢદ્રષ્ટિગુણ કહે છે. અહીં હિંસારંભ કહેવાથી હિંસાના પ્રરૂપક દેવ
-શાસ્ત્ર-ગુરુ આદિમાં પણ મૂઢદ્રષ્ટિવાન ન થાય
એમ સમજવું.
હવે ઉપગૂહનગુણ કહે છેઃ
जो परदोसं गोवदि णियसुकयं णो पयासदे लोए
भवियव्वभावणरओ उवगूहणकारओ सो हु ।।४१९।।
यः परदोषं गोपयति निजसुकृतं नो प्रकाशयते लोके
भवितव्यभावनारतः उपगूहनकारकः सः स्फु टम् ।।४१९।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિ પરના દોષને ઢાંકેગોપવે તથા પોતાના
સુકૃત અર્થાત્ પુણ્યગુણો લોકમાં પ્રકાશે નહિકહેતો ફરે નહિ, પણ
આવી ભાવનામાં લીન રહે કે ‘જે ભવિતવ્ય છે તે થાય છે તથા થશે’
તે ઉપગૂહનગુણવાળો છે.
ભાવાર્થઃ‘જે કર્મનો ઉદય છે તે અનુસાર લોકમાં મારી પ્રવૃત્તિ
છે અને જે થવા યોગ્ય છે તે જ થાય છે’ એવી ભાવના સમ્યગ્દ્રષ્ટિને
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૧