રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી.
વળી સાધર્મીજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો
તેને છુપાવે – ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની
અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો.
ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે
તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૂહનગુણ હોય છે.
હવે સ્થિતિકરણગુણ કહે છેઃ —
धम्मादो चलमाणं जो अण्णं संठवेदि धम्मम्मि ।
अप्पाणं पि सुदिढयदि ठिदिकरणं होदि तस्सेव ।।४२०।।
धर्मतः चलन्तं यः अन्यं संस्थापयति धर्मे ।
आत्मानं अपि सुद्रढयति स्थितिकरणं भवति तस्य एव ।।४२०।।
અર્થઃ — ધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો
તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દ્રઢ કરવો.
તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થઃ — ધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં
નિશ્ચય – વ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી
ઉપદેશથી વા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેઃ —
जो धम्मिएसु भत्तो अणुचरणं कुणदि परमसद्धाए ।
पियवयणं जंपंतो वच्छल्लं तस्स भव्वस्स ।।४२१।।
यः धार्मिकेषु भक्तः अनुचरणं करोति परमश्रद्धया ।
प्रियवचनं जल्पन् वात्सल्यं तस्य भव्यस्य ।।४२१।।
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિશ્રાવક
– મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓના અનુસારે પ્રવર્તે
તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.
૨૪૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા