Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 420-421.

< Previous Page   Next Page >


Page 242 of 297
PDF/HTML Page 266 of 321

 

background image
રહે છે. તેથી તે પોતાના ગુણને અને પરના દોષને પ્રકાશતો ફરતો નથી.
વળી સાધર્મીજનમાં વા પૂજ્ય પુરુષોમાં કર્મોદયવશ કોઈ દોષ જણાય તો
તેને છુપાવે
ઉપદેશાદિકથી તે દોષ છોડાવે, પણ એમ ન કરે કે જેથી તેની
અને ધર્મની નિન્દા થાય. ધર્મ તથા ધર્માત્મામાંથી દોષનો અભાવ કરવો.
ત્યાં છુપાવવું એ પણ અભાવ કરવા તુલ્ય છે અર્થાત્ જેને લોક ન જાણે
તે અભાવ બરાબર જ છે. એ પ્રમાણે ઉપગૂહનગુણ હોય છે.
હવે સ્થિતિકરણગુણ કહે છેઃ
धम्मादो चलमाणं जो अण्णं संठवेदि धम्मम्मि
अप्पाणं पि सुदिढयदि ठिदिकरणं होदि तस्सेव ।।४२०।।
धर्मतः चलन्तं यः अन्यं संस्थापयति धर्मे
आत्मानं अपि सुद्रढयति स्थितिकरणं भवति तस्य एव ।।४२०।।
અર્થઃધર્મથી ચલાયમાન થતા એવા અન્યને ધર્મમાં સ્થાપવો
તથા પોતાના આત્માને પણ (ધર્મથી) ચલિત થતો (ધર્મમાં) દ્રઢ કરવો.
તેને નિશ્ચયથી સ્થિતિકરણગુણ હોય છે.
ભાવાર્થઃધર્મથી ચલિત થવાનાં અનેક કારણો હોય છે, ત્યાં
નિશ્ચયવ્યવહારરૂપ ધર્મથી પરને તથા પોતાને ચલિત થતો જાણી
ઉપદેશથી વા જેમ બને તેમ દ્રઢ કરવો તેને સ્થિતિકરણગુણ હોય છે.
હવે વાત્સલ્યગુણ કહે છેઃ
जो धम्मिएसु भत्तो अणुचरणं कुणदि परमसद्धाए
पियवयणं जंपंतो वच्छल्लं तस्स भव्वस्स ।।४२१।।
यः धार्मिकेषु भक्तः अनुचरणं करोति परमश्रद्धया
प्रियवचनं जल्पन् वात्सल्यं तस्य भव्यस्य ।।४२१।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિજીવ ધાર્મિક અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિશ્રાવક
મુનિજનોમાં ભક્તિવાન હોય, પરમશ્રદ્ધાપૂર્વક તેઓના અનુસારે પ્રવર્તે
તથા પ્રિયવચન બોલતો થકો પ્રવર્તે તે ભવ્યને વાત્સલ્યગુણ હોય છે.
૨૪૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા