Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 422-423.

< Previous Page   Next Page >

Download pdf file of shastra: http://samyakdarshan.org/Dn6
Tiny url for this page: http://samyakdarshan.org/GbY10Cq

Page 243 of 297
PDF/HTML Page 267 of 321

 

Hide bookmarks
background image
ભાવાર્થઃવાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે.
ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિઅનુરાગ હોય, તેઓમાં
પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજનગમનઆગમન આદિ
ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાયવાછરડા જેવી પ્રીતિ
રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
હવે પ્રભાવનાગુણ કહે છેઃ
जो दसभेयं धम्मं भव्वजणाणं पयासदे विमलं
अप्पाणं पि पयासदि णाणेण पहावणा तस्स ।।४२२।।
यः दशभेदं धर्मं भव्यजनानां प्रकाशयति विमलम्
आत्मानं अपि प्रकाशयति ज्ञानेन प्रभावना तस्य ।।४२२।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા
દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશપ્રકારરૂપ
ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થઃધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં
ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ
દશવિધધર્મના અંગીકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ
હોય છે.
जिणसासणमाहप्पं बहुविहजुत्तीहिं जो पयासेदि
तह तिव्वेण तवेण य पहावणा णिम्मला तस्स ।।४२३।।
जिनशासनमाहात्म्यं बहुविधयुक्तिभिः यः प्रकाशयति
तथा तीव्रेण तपसा च प्रभावना निर्मला तस्य ।।४२३।।
અર્થઃજે સમ્યગ્દ્રષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની
યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ,
અલંકાર અને સાહિત્યવિદ્યાથી વક્તાપણા વા શાસ્ત્રરચના
દ્વારા અનેક
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૩