ધર્માનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — વાત્સલ્યગુણમાં ધર્માનુરાગ પ્રધાન હોય છે. ધર્માત્માપુરુષોમાં જેને ઉત્કૃષ્ટપણે ભક્તિ – અનુરાગ હોય, તેઓમાં પ્રિયવચન સહિત જે પ્રવર્તે, તેમનાં ભોજન – ગમન – આગમન આદિ ક્રિયામાં અનુચર જેવો બની જે પ્રવર્તે તથા ગાય – વાછરડા જેવી પ્રીતિ રાખે તેને વાત્સલ્યગુણ હોય છે.
હવે પ્રભાવનાગુણ કહે છેઃ —
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશપ્રકારરૂપ ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થઃ — ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ દશવિધધર્મના અંગીકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર અને સાહિત્યવિદ્યાથી વક્તાપણા વા શાસ્ત્રરચના – દ્વારા અનેક