૨૪૪ ]
પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશય – ચમત્કાર – પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાત્મ્ય પ્રગટ કરે તેને પ્રભાવનાગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થઃ — આ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક જીવોને ધર્મની અભિરુચિ – શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને (પ્રભાવનાગુણ) અવશ્ય હોય છે.
હવે ‘નિઃશંકિતાદિ ગુણો કેવા પુરુષને હોય છે?’ તે કહે છેઃ —
અર્થઃ — જે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર ચિંતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષા – વાંચ્છારહિત હોય તેને નિઃશંકિતાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે.
ભાવાર્થઃ — અહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય એ છે કે જે પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૂહન, સ્થિતિકરણ તથા વાત્સલ્યગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર ગુણ હોય છે. વળી જેને પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકા – સંદેહ હોય તથા મૂઢદ્રષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ કયાંથી ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચંતવે) તેને જ નિઃશંકિત અને અમૂઢદ્રષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ આદિમાં પણ સમજવાઃ —