Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 424.

< Previous Page   Next Page >


Page 244 of 297
PDF/HTML Page 268 of 321

 

background image
પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશયચમત્કાર
પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાત્મ્ય
પ્રગટ કરે તેને પ્રભાવનાગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થઃઆ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક
જીવોને ધર્મની અભિરુચિશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને
(પ્રભાવનાગુણ) અવશ્ય હોય છે.
હવે ‘નિઃશંકિતાદિ ગુણો કેવા પુરુષને હોય છે?’ તે કહે છેઃ
जो ण कुणदि परतत्तिं पुणु पुणु भावेदि सुद्धमप्पाणं
इंदियसुहणिरवेक्खो णिस्संकाई गुणा तस्स ।।४२४।।
यः न करोति परतप्तिं पुनः पुनः भावयति शुद्धं आत्मानम्
इन्द्रियसुखनिरपेक्षः निःशंकादयः गुणाः तस्य ।।४२४।।
અર્થઃજે પુરુષ પરની નિંદા ન કરે, શુદ્ધ આત્માને વારંવાર
ચિંતવતો હોય, તથા ઇન્દ્રિયસુખની અપેક્ષાવાંચ્છારહિત હોય તેને
નિઃશંકિતાદિ આઠ ગુણ અને અહિંસાધર્મરૂપ સમ્યક્ત્વ હોય છે.
ભાવાર્થઃઅહીં ત્રણ વિશેષણ છે. તેમનું તાત્પર્ય એ છે કે જે
પરની નિંદા કરે તેને નિર્વિચિકિત્સા, ઉપગૂહન, સ્થિતિકરણ તથા
વાત્સલ્યગુણ ક્યાંથી હોય? માટે પરનો નિંદક ન હોય ત્યારે આ ચાર
ગુણ હોય છે. વળી જેને પોતાના આત્માના વસ્તુસ્વરૂપમાં શંકા
સંદેહ
હોય તથા મૂઢદ્રષ્ટિ હોય તે પોતાના આત્માને વારંવાર શુદ્ધ કયાંથી
ચિંતવે? તેથી જે પોતાને શુદ્ધ ભાવે (ચંતવે) તેને જ નિઃશંકિત અને
અમૂઢદ્રષ્ટિગુણ હોય છે તથા પ્રભાવના પણ તેને જ હોય છે. વળી જેને
ઇન્દ્રિયસુખની વાંચ્છા હોય તેને નિઃકાંક્ષિતગુણ હોતો નથી, પણ
ઇન્દ્રિયસુખની વાંચ્છારહિત થતાં જ નિઃકાંક્ષિતગુણ હોય છે. એ પ્રમાણે
આઠ ગુણો હોવાનાં આ ત્રણ વિશેષણો છે.
હવે કહે છે કે જેમ આ આઠ ગુણ ધર્મમાં કહ્યા તેમ દેવ-ગુરુ
આદિમાં પણ સમજવાઃ
૨૪૪ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા