णिस्संकापहुडिगुणा जह धम्मे तह य देवगुरुतच्चे ।
जाणेहि जिणमयादो सम्मत्तविसोहया एदे ।।४२५।।
निःशंकाप्रभृतिगुणाः यथा धर्मे तथा च देवगुरुतत्त्वे ।
जानीहि जिनमतात् सम्यक्त्वविशोधकाः एते ।।४२५।।
અર્થઃ — જેમ આ નિઃશંકિતાદિ આઠ ગુણ ધર્મમાં પ્રગટ થાય
છે તેમ દેવના સ્વરૂપમાં, ગુરુના સ્વરૂપમાં, છ દ્રવ્ય – પંચાસ્તિકાય –
સાતતત્ત્વ – નવપદાર્થના સ્વરૂપમાં પણ હોય છે. તેને પ્રવચન — સિદ્ધાન્તથી
સમજવા. આ આઠ ગુણ સમ્યક્ત્વને નિરતિચાર વિશુદ્ધ કરવાવાળા છે.
ભાવાર્થઃ — દેવ, ગુરુ અને તત્ત્વમાં શંકા ન કરવી, તેની યથાર્થ
શ્રદ્ધા વડે ઇન્દ્રિયસુખની વાંચ્છારૂપ કાંક્ષા ન કરવી, તેમાં ગ્લાનિ ન
લાવવી, તેમાં મૂઢદ્રષ્ટિ ન રાખવી, તેના દોષોનો અભાવ કરવો વા તેને
ઢાંકવા, તેનું શ્રદ્ધાન દ્રઢ કરવું, તેમાં વાત્સલ્ય એટલે વિશેષ અનુરાગ
કરવો અને તેનું માહાત્મ્ય પ્રગટ કરવું — એ આઠ ગુણ તેમાં (દેવ – ગુરુ
તથા તત્ત્વાદિકમાં) જાણવા. આગળ સમ્યગ્દ્રષ્ટિ થઈ ગયા તેઓની કથા
જિનપ્રવચનથી જાણવી. આ આઠે ગુણો અતિચારદોષ દૂર કરી
સમ્યક્ત્વને નિર્મળ કરવાવાળા છે, એમ સમજવું.
હવે ‘આ ધર્મને જાણવાવાળા તથા આચરવાવાળા દુર્લભ છે’ એમ
કહે છેઃ —
धम्मं ण मुणदि जीवो अहवा जाणेइ कहवि कट्ठेण ।
काउं तो वि ण सक्कदि मोहपिसाएण भोलविदो ।।४२६।।
धर्मं न जानाति जीवः अथवा जानाति कथमपि कष्टेन ।
कर्तुं तदपि न शक्नोति मोहपिशाचेन भ्रामितः ।।४२६।।
અર્થઃ — આ સંસારમાં પ્રથમ તો જીવ ધર્મને જાણતો જ નથી,
વળી કોઈ પ્રકારથી ઘણાં કષ્ટ વડે જો જાણે છે તો ત્યાં મોહરૂપ
પિશાચથી ભ્રમિત થતો થકો ધર્મ આચરવાને સમર્થ થતો નથી.
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૪૫