૨૪૬ ]
ભાવાર્થઃ — અનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં એને આચરવો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દ્રષ્ટાન્તપૂર્વક કહે છેઃ —
અર્થઃ — જેમ આ જીવ પુત્ર – કલત્રમાં તથા કામ – ભોગમાં રતિ – પ્રીતિ કરે છે તેમ જો જિનેન્દ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃ — આ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં પ્રીતિ છે, તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી હોય?
અર્થઃ — આ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેન્દ્રના કહેલા મુનિ – શ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે? જેમ બીજ વિના ધાન્યની ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.