Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 427-428.

< Previous Page   Next Page >


Page 246 of 297
PDF/HTML Page 270 of 321

 

background image
ભાવાર્થઃઅનાદિ સંસારથી મિથ્યાત્વ વડે ભ્રમિત એવો આ
પ્રાણી પ્રથમ તો ધર્મને જાણતો જ નથી. વળી કોઈ કાળલબ્ધિથી, ગુરુના
સંયોગથી અને જ્ઞાનાવરણીના ક્ષયોપશમથી કદાપિ જાણે છે તો ત્યાં એને
આચરવો દુર્લભ છે.
હવે ધર્મગ્રહણનું માહાત્મ્ય દ્રષ્ટાન્તપૂર્વક કહે છેઃ
जह जीवो कुणइ रइं पुत्तकलत्तेसु कामभोगेसु
तह जइ जिणिंदधम्मे तो लीलाए सुहं लहदि ।।४२७।।
यथा जीवः करोति रतिं पुत्रकलत्रेषु कामभोगेषु
तथा यदि जिनेन्द्रधर्मे तत् लीलया सुखं लभते ।।४२७।।
અર્થઃજેમ આ જીવ પુત્રકલત્રમાં તથા કામભોગમાં રતિ
પ્રીતિ કરે છે તેમ જો જિનેન્દ્રના વીતરાગધર્મમાં કરે તો લીલામાત્ર
અલ્પ કાળમાં જ સુખને પ્રાપ્ત થાય.
ભાવાર્થઃઆ પ્રાણીને જેવી સંસારમાં તથા ઇન્દ્રિયવિષયોમાં
પ્રીતિ છે, તેવી જો જિનેશ્વરના દશલક્ષણધર્મસ્વરૂપ વીતરાગધર્મમાં પ્રીતિ
થાય તો થોડા જ કાળમાં તે મોક્ષને પામે.
હવે કહે છે કે જીવ લક્ષ્મી ઇચ્છે છે પણ તે ધર્મ વિના ક્યાંથી
હોય?
लच्छिं वंछेइ णरो णेव सुधम्मेसु आयरं कुणइ
बीएण विणा कुत्थ वि किं दीसदि सस्सणिप्पत्ती ।।४२८।।
लक्ष्मीं वांछति नरः नैव सुधर्मेषु आदरं करोति
बीजेन विना कुत्र अपि किं दृश्यते सस्यनिष्पत्तिः ।।४२८।।
અર્થઃઆ જીવ લક્ષ્મીને ઇચ્છે છે પણ જિનેન્દ્રના કહેલા
મુનિશ્રાવકધર્મમાં આદર-પ્રીતિ કરતો નથી, પરંતુ લક્ષ્મીનું કારણ તો
ધર્મ છે એટલે એ વિના તે ક્યાંથી આવે? જેમ બીજ વિના ધાન્યની
ઉત્પત્તિ ક્યાંય દેખાય છે? નથી દેખાતી.
૨૪૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા