Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 429-431.

< Previous Page   Next Page >


Page 247 of 297
PDF/HTML Page 271 of 321

 

ધર્માનુપ્રેક્ષા ]

[ ૨૪૭

ભાવાર્થઃજેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.

હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃ

जो धम्मत्थो जीवो सो रिउवग्गे वि कुणदि खमभावं
ता परदव्वं वज्जइ जणणिसमं गणइ परदारं ।।४२९।।
यः धर्मस्थः जीवः सः रिपुवर्गे अपि करोति क्षमाभावम्
तावत् परद्रव्यं वर्जयति जननीसमं गणयति परदारान् ।।४२९।।

અર્થઃજે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છેઅંગીકાર કરતો નથી તથા પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.

ता सव्वत्थ वि कित्ती ता सव्वत्थ वि हवेइ वीसासो
ता सव्वं पिय भासइ ता सुद्धं माणसं कुणइ ।।४३०।।
तावत् सर्वत्र अपि कीर्तिः तावत् सर्वत्र अपि भवति विश्वासः
तावत् सर्वं प्रियं भाषते तावत् शुद्धं मानसं करोति ।।४३०।।

અર્થઃજે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ (પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને પરના દિલને શુદ્ધઉજ્જ્વળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી નથી, તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકમાં ધર્મ સર્વ પ્રકારથી સુખદાયક છે.

હવે ધર્મનું માહાત્મ્ય કહે છેઃ

उत्तमधम्मेण जुदो होदि तिरिक्खो वि उत्तमो देवो
चंडालो वि सुरिंदो उत्तमधम्मेण संभवदि ।।४३१।।
उत्तमधर्मेण युतः भवति तिर्यञ्चः अपि उत्तमः देवः
चण्डालः अपि सुरेन्द्रः उत्तमधर्मेण संभवति ।।४३१।।