ધર્માનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — જેમ બીજ વિના ધાન્ય ન થાય તેમ ધર્મ વિના સંપદા પણ ન થાય એ પ્રસિદ્ધ છે.
હવે ધર્માત્માજીવોની પ્રવૃત્તિ કહે છેઃ —
અર્થઃ — જે જીવ ધર્મમાં સ્થિર છે તે વૈરીઓના સમૂહ પર પણ ક્ષમાભાવ કરે છે, પરદ્રવ્યને તજે છે – અંગીકાર કરતો નથી તથા પરસ્ત્રીને માતા, બહેન અને પુત્રી સમાન ગણે છે.
અર્થઃ — જે જીવ ધર્મમાં સ્થિર છે તેની સર્વ લોકમાં કીર્તિ (પ્રસંશા) થાય છે, સર્વ લોક તેનો વિશ્વાસ કરે છે; વળી તે પુરુષ સર્વને પ્રિય વચન કહે છે જેથી કોઈ દુઃખી થતો નથી, તે પુરુષ પોતાના અને પરના દિલને શુદ્ધ – ઉજ્જ્વળ કરે છે, કોઈને તેના માટે કલુષતા રહેતી નથી, તેમ તેને પણ કોઈના માટે કલુષતા રહેતી નથી, ટૂંકમાં ધર્મ સર્વ પ્રકારથી સુખદાયક છે.
હવે ધર્મનું માહાત્મ્ય કહે છેઃ —