અર્થઃ — સમ્યક્ત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો
તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યક્ત્વ સહિત ઉત્તમ
ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે.
अग्गी वि य होदि हिमं होदि भुयंगो वि उत्तमं रयणं ।
जीवस्स सुधम्मादो देवा वि य किंकरा होंति ।।४३२।।
अग्निः अपि च भवति हिमं भवति भुजङ्गः अपि उत्तमं रत्नम् ।
जीवस्य सुधर्मात् देवाः अपि च किंकराः भवन्ति ।।४३२।।
અર્થઃ — આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ
થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે
તે કિંકર – દાસ બની જાય છે.
तिक्खं खग्गं माला दुज्जयरिउणो सुहंकरा सुयणा ।
हालाहलं पि अमियं महापया संपया होदि ।।४३३।।
तीक्ष्णः खङ्गः माला दुर्जयरिपवः सुखंकराः सुजनाः ।
हालाहलं अपि अमृतं महापदा सम्पदा भवति ।।४३३।।
અર્થઃ — ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડ્ગ પણ ફૂલની
માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ
કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે, તથા હળાહળ ઝેર છે
તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા
પણ સંપદા બની જાય છે.
अलियवयणं पि सच्चं उज्जमरहिए वि लच्छिसंपत्ती ।
धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि ।।४३४।।
अलीक वचनं अपि सत्यं उद्यमरहिते अपि लक्ष्मीसंप्राप्तिः ।
धर्मप्रभावेण नरः अनयः अपि सुखंकरः भवति ।।४३४।।
અર્થઃ — ધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય થઈ
જાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય
૨૪૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા