૨૪૮ ]
અર્થઃ — સમ્યક્ત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યક્ત્વ સહિત ઉત્તમ ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે.
અર્થઃ — આ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે તે કિંકર – દાસ બની જાય છે.
અર્થઃ — ઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડ્ગ પણ ફૂલની માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે, તથા હળાહળ ઝેર છે તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા પણ સંપદા બની જાય છે.
અર્થઃ — ધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય થઈ જાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય