Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 432-434.

< Previous Page   Next Page >


Page 248 of 297
PDF/HTML Page 272 of 321

 

background image
અર્થઃસમ્યક્ત્વ સહિત ઉત્તમધર્મયુક્ત જીવ ભલે તિર્યંચ હો
તોપણ ઉત્તમ દેવપદને પ્રાપ્ત થાય છે તથા સમ્યક્ત્વ સહિત ઉત્તમ
ધર્મથી ચંડાલ પણ દેવોનો ઇન્દ્ર થાય છે.
अग्गी वि य होदि हिमं होदि भुयंगो वि उत्तमं रयणं
जीवस्स सुधम्मादो देवा वि य किंकरा होंति ।।४३२।।
अग्निः अपि च भवति हिमं भवति भुजङ्गः अपि उत्तमं रत्नम्
जीवस्य सुधर्मात् देवाः अपि च किंकराः भवन्ति ।।४३२।।
અર્થઃઆ જીવને ઉત્તમ ધર્મના પ્રસાદથી અગ્નિ પણ બરફ
થઈ જાય છે, સર્પ છે તે ઉત્તમ રત્નમાળા થઈ જાય છે તથા દેવ છે
તે કિંકર
દાસ બની જાય છે.
तिक्खं खग्गं माला दुज्जयरिउणो सुहंकरा सुयणा
हालाहलं पि अमियं महापया संपया होदि ।।४३३।।
तीक्ष्णः खङ्गः माला दुर्जयरिपवः सुखंकराः सुजनाः
हालाहलं अपि अमृतं महापदा सम्पदा भवति ।।४३३।।
અર્થઃઉત્તમ ધર્મ સહિત જીવને તીક્ષ્ણ ખડ્ગ પણ ફૂલની
માળા બની જાય છે, જીત્યો ન જાય એવો દુર્જય વેરી પણ સુખ
કરવાવાળો સ્વજન અર્થાત્ મિત્ર બની જાય છે, તથા હળાહળ ઝેર છે
તે પણ અમૃતરૂપ પરિણમી જાય છે; ઘણું શું કહીએ મહાન આપદા
પણ સંપદા બની જાય છે.
अलियवयणं पि सच्चं उज्जमरहिए वि लच्छिसंपत्ती
धम्मपहावेण णरो अणओ वि सुहंकरो होदि ।।४३४।।
अलीक वचनं अपि सत्यं उद्यमरहिते अपि लक्ष्मीसंप्राप्तिः
धर्मप्रभावेण नरः अनयः अपि सुखंकरः भवति ।।४३४।।
અર્થઃધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય થઈ
જાય છે, ઉદ્યમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય
૨૪૮ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા