૨૫૦ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
इय पच्चक्खं पिच्छिय धम्माहम्माण विविहमाहप्पं ।
धम्मं आयरह सया पावं दूरेण परिहरइ ।।४३७।।
इति प्रत्यक्षं दृष्ट्वा धर्माधर्मयोः विविधमाहात्म्यम् ।
धर्मं आचरत सदा पापं दूरेण परिहरत ।।४३७।।
અર્થઃ — હે પ્રાણી! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું માહાત્મ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને દૂરથી જ છોડો!
ભાવાર્થઃ — દશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદેવે અધર્મનું ફળ પણ બતાવ્યું; અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે, હે પ્રાણી! ધર્મ – અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મને આચરો તથા પાપને છોડો! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી, માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન – પૂજન યોગ્ય છે. એ પ્રમાણે યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
(દોહરો)
મુનિ – શ્રાવકના ભેદથી, ધર્મ બે પરકાર,
તેને સુણી ચિંતવો સતત, ગ્રહી પામો ભવપાર.
ઇતિ ધર્માનુપ્રેક્ષા સમાપ્ત.