Swami Kartikeyanupreksha (Gujarati). Dvadasha Tapanu Varnan Gatha: 438-439.

< Previous Page   Next Page >


Page 251 of 297
PDF/HTML Page 275 of 321

 

background image
દ્વાદશતપનું વર્ણન
હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં
તપવિધાનનું નિરૂપણ કરે છેઃ
बारसभेओ भणिओ णिज्जरहेऊ तवो समासेण
तस्स पयारा एदे भणिज्जमाणा मुणेयव्वा ।।४३८।।
द्वादशभेदं भणितं निर्जराहेतुः तपः समासेन
तस्य प्रकाराः एते भण्यमानाः ज्ञातव्याः ।।४३८।।
અર્થઃજિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું
છે તપ? કર્મ નિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે જાણવા.
ભાવાર્થઃનિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર છે.
અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશૈયાસન
અને કાયક્લેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય,
વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે.
તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને
ચાર ગાથામાં કહે છેઃ
उवसमणो अक्खाणं उववासो वण्णिदो मुणिंदेहि
तम्हा भुंजंता वि य जिदिंदिया होंति उववासा ।।४३९।।
उपशमनम् अक्षाणां उपवासः वर्णितः मुनीन्द्रैः
तस्मात् भुञ्जमानाः अपि च जितेन्द्रियाः भवन्ति उपवासाः ।।४३९।।
અર્થઃઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા
દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ
કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ,
ઉપવાસ સહિત જ કહ્યો છે.
[ ૨૫૧