ભાવાર્થઃ — ઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે
ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે
તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
जो मणइंदियविजई इहभवपरलोयसोक्खणिरवेक्खो ।
अप्पाणे वि य णिवसइ सज्झायपरायणो होदि ।।४४०।।
कम्माण णिज्जरट्ठं आहारं परिहरेइ लीलाए ।
एगदिणादिपमाणं तस्स तवं अणसणं होदि ।।४४१।।
यः मनःइन्द्रियविजयी इहभवपरलोकसौख्यनिरपेक्षः ।
आत्मनि एव निवसति स्वाध्यायपरायणः भवति ।।४४०।।
कर्मणां निर्जरार्थं आहारं परिहरति लीलया ।
एकदिनादिप्रमाणं तस्य तपः अनशनं भवति ।।४४१।।
અર્થઃ — જે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ
પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત્ વાંચ્છા કરતો નથી,
પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા
કર્મનિર્જરા અર્થે ક્રીડા એટલે લીલામાત્ર ક્લેશરહિત હર્ષસહિત એક દિવસ
આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થઃ — ઉપવાસનો એવો અર્થ છે કે – ઇન્દ્રિય તથા મન
વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોક
– પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા
આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસ – સ્વાધ્યાયમાં મન
લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ ક્લેશ ન ઊપજે એવી
રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદારૂપ આહારનો ત્યાગ
કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
उववासं कुव्वाणो आरंभं जो करेदि मोहादो ।
तस्स किलेसो अवरं कम्माणं णेव णिज्जरणं ।।४४२।।
૨૫૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા