Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 440-442.

< Previous Page   Next Page >


Page 252 of 297
PDF/HTML Page 276 of 321

 

background image
ભાવાર્થઃઇન્દ્રિયોને જીતવી તે ઉપવાસ છે; એટલા માટે
ભોજન કરતા હોવા છતાં પણ યતિપુરુષ ઉપવાસી જ છે, કારણ કે
તેઓ ઇન્દ્રિયોને વશ કરી પ્રવર્તે છે.
जो मणइंदियविजई इहभवपरलोयसोक्खणिरवेक्खो
अप्पाणे वि य णिवसइ सज्झायपरायणो होदि ।।४४०।।
कम्माण णिज्जरट्ठं आहारं परिहरेइ लीलाए
एगदिणादिपमाणं तस्स तवं अणसणं होदि ।।४४१।।
यः मनःइन्द्रियविजयी इहभवपरलोकसौख्यनिरपेक्षः
आत्मनि एव निवसति स्वाध्यायपरायणः भवति ।।४४०।।
कर्मणां निर्जरार्थं आहारं परिहरति लीलया
एकदिनादिप्रमाणं तस्य तपः अनशनं भवति ।।४४१।।
અર્થઃજે મન અને ઇન્દ્રિયોનો જીતવાવાળો છે, આ ભવ
પરભવના વિષયસુખોમાં અપેક્ષારહિત છે અર્થાત્ વાંચ્છા કરતો નથી,
પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે વા સ્વાધ્યાયમાં તત્પર છે, તથા
કર્મનિર્જરા અર્થે ક્રીડા એટલે લીલામાત્ર ક્લેશરહિત હર્ષસહિત એક દિવસ
આદિની મર્યાદાપૂર્વક જે આહારને છોડે છે તેને અનશનતપ હોય છે.
ભાવાર્થઃઉપવાસનો એવો અર્થ છે કેઇન્દ્રિય તથા મન
વિષયોમાં પ્રવૃત્તિરહિત થઈ આત્મામાં રહે તે ઉપવાસ છે. આલોક
પરલોક સંબંધી વિષયોની વાંચ્છા ન કરવી તે ઇન્દ્રિયજય છે તથા
આત્મસ્વરૂપમાં લીન રહેવું વા શાસ્ત્રના અભ્યાસસ્વાધ્યાયમાં મન
લગાવવું એ ઉપવાસમાં પ્રધાન છે; વળી જેમ ક્લેશ ન ઊપજે એવી
રીતે ક્રીડામાત્રપણે એક દિવસ આદિની મર્યાદારૂપ આહારનો ત્યાગ
કરવો તે ઉપવાસ છે. એ પ્રમાણે ઉપવાસ નામનું અનશનતપ થાય છે.
उववासं कुव्वाणो आरंभं जो करेदि मोहादो
तस्स किलेसो अवरं कम्माणं णेव णिज्जरणं ।।४४२।।
૨૫૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા