Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 443-444.

< Previous Page   Next Page >


Page 253 of 297
PDF/HTML Page 277 of 321

 

background image
उपवासं कुर्वाणः आरम्भं यः करोति मोहतः
तस्य क्लेशः अपरं कर्मणां नैव निर्जरणम् ।।४४२।।
અર્થઃજે ઉપવાસ કરતો થકો પણ મોહથી આરંભગૃહ
કાર્યાદિકને કરે છે તેને પ્રથમ ગૃહકાર્યનો ક્લેશ તો હતો જ અને બીજો
આ ભોજન વિના ક્ષુધા
તૃષાનો ક્લેશ થયો. એટલે એ પ્રમાણે થતાં તો
ક્લેશ જ થયો પણ કર્મનિર્જરા તો ન થઈ.
ભાવાર્થઃજે આહારને તો છોડે પણ વિષયકષાયઆરંભને
ન છોડે તેને પહેલાં તો ક્લેશ હતો જ અને હવે આ બીજો ક્લેશ ભૂખ
-તરસનો થયો, એવા ઉપવાસમાં કર્મનિર્જરા ક્યાંથી થાય? કર્મ નિર્જરા
તો સર્વ ક્લેશ છોડી સામ્યભાવ કરતાં જ થાય છે. એમ સમજવું.
હવે અવમોદર્યતપ બે ગાથામાં કહે છેઃ
आहारगिद्धिरहिओ चरियामग्गेण पासुगं जोग्गं
अप्पयरं जो भुंजइ अवमोदरियं तवं तस्स ।।४४३।।
आहारगृद्धिरहितः चर्यामार्गेण प्रासुकं योग्यम्
अल्पतरं यः भुंक्ते अवमौदर्यं तपः तस्य ।।४४३।।
અર્થઃજે તપસ્વી આહારની અતિ ગૃદ્ધિ રહિત થઈ સૂત્રમાં
કહ્યા પ્રમાણે ચર્યાના માર્ગાનુસાર યોગ્ય પ્રાસુક આહાર પણ અતિ અલ્પ
ગ્રહણ કરે તેને અવમોદર્યતપ હોય છે.
ભાવાર્થઃમુનિરાજ આહારના છેંતાલીસ દોષ, બત્રીસ અંતરાય
ટાળી ચૌદ મળદોષરહિત પ્રાસુક યોગ્ય ભોજન ગ્રહણ કરે છે તોપણ તે
ઊણોદરતપ કરે છે, તેમાં પણ પોતાના આહારના પ્રમાણથી થોડો આહાર
લે છે. આહારનું પ્રમાણ એક ગ્રાસથી બત્રીસ ગ્રાસ સુધી કહ્યું છે તેમાં
યથાઇચ્છાનુસાર ઘટતા પ્રમાણમાં (આહાર) લે તે અવમોદર્યતપ છે.
जो पुण कित्तिणिमित्तं मायाए मिट्ठभिक्खलाहट्ठं
अप्पं भुंजदि भोज्जं तस्स तवं णिप्फलं बिदियं ।।४४४।।
દ્વાદશ તપ ][ ૨૫૩