દ્વાદશ તપ ][ ૨૫૫
ભાવાર્થઃ — ભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ કરવામાં આવે છે, કારણ કે સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છેઃ —
અર્થઃ — જે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે છે કે – ઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ થાય છે પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભવાર્થઃ — રસ છ પ્રકારના છે – ઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ અને દૂધ એવો તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો એ પણ રસ છે.★
જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્નઃ — કોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને આમાં તફાવત શો?
સમાધાનઃ — વૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી એ પણ