Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 446.

< Previous Page   Next Page >


Page 255 of 297
PDF/HTML Page 279 of 321

 

background image
ભાવાર્થઃભોજનની આશાનો નિરાસ કરવા સારું આ તપ
કરવામાં આવે છે, કારણ કે સંકલ્પ અનુસાર વિધિ મળી જવી એ
દૈવયોગ છે અને એવું મહાન કઠણ તપ મહામુનિ કરે છે.
હવે રસપરિત્યાગતપ કહે છેઃ
संसारदुक्खतट्ठो विससमविसयं विचिंतमाणो जो
णीरसभोज्जं भुंजइ रसचाओ तस्स सुविसुद्धो ।।४४६।।
संसारदुःखत्रस्तः विषसमविषयं विचिन्तयन् यः
नीरसभोज्यं भुंक्ते रसत्यागः तस्य सुविशुद्धः ।।४४६।।
અર્થઃજે મુનિ સંસારદુઃખથી ભયભીત થઈ આ પ્રમાણે વિચારે
છે કેઇન્દ્રિયોના વિષયો વિષ જેવા છે, વિષ ખાતાં તો એક વાર મરણ
થાય છે પણ વિષયરૂપ વિષથી ઘણાં જન્મ-મરણ થાય છે. એમ વિચારી
જે નીરસભોજન કરે છે તેને રસપરિત્યાગતપ નિર્મળ થાય છે.
ભવાર્થરસ છ પ્રકારના છેઘી, તેલ, દહીં, મીઠાઈ, લવણ
અને દૂધ એવો તથા ખાટો, ખારો, મીઠો, કડવો, તીખો અને કષાયેલો
એ પણ રસ છે.
તેનો ભાવનાનુસાર ત્યાગ કરવો અર્થાત્ કોઈ એક
જ રસ છોડે, બે રસ છોડે વા બધાય રસ છોડે. એ પ્રમાણે
રસપરિત્યાગતપ થાય છે.
પ્રશ્નઃકોઈ રસત્યાગને જાણતો ન હોય અને મનમાં જ ત્યાગ
કરે તો એ પ્રમાણે જ વૃત્તિપરિસંખ્યાન પણ છે તો પછી તેમાં અને
આમાં તફાવત શો?
સમાધાનઃવૃત્તિપરિસંખ્યાનમાં તો અનેક પ્રકારના ત્યાગની સંખ્યા
છે અને આમાં રસનો જ ત્યાગ છે એટલી વિશેષતા છે. વળી એ પણ
દ્વાદશ તપ ][ ૨૫૫
खीरदधिसप्पितेलं गुडलवणाणं च जं परिच्चयणं
तित्तकडुकसायंबिलं मधुररसाणं च जं चयणं ।।
મૂલાચારપંચાચારાધિકાર, ગા. ૧૫૫