૨૫૬ ]
વિશેષતા છે કે – રસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય છે અને તેને શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
અર્થઃ — જે મુનિ રાગ-દ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થઃ — બેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે શૈયા છે તથા ‘આદિ’ શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ ત્રણે એવાં હોય કે જ્યાં રાગ – દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસે – સૂવે, કારણ કે મુનિજનોને તો પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે એકાન્તસ્થાન કહ્યું છે.