Swami Kartikeyanupreksha (Gujarati). Gatha: 447-449.

< Previous Page   Next Page >


Page 256 of 297
PDF/HTML Page 280 of 321

 

background image
વિશેષતા છે કેરસપરિત્યાગ તો ઘણા દિવસનો પણ થાય છે અને તેને
શ્રાવક જાણી પણ જાય છે ત્યારે વૃત્તિપરિસંખ્યાન ઘણા દિવસનું થતું નથી.
હવે વિવિક્તશૈયાસનતપ કહે છેઃ
जो रायदोसहेदू आसणसिज्जादियं परिच्चयइ
अप्पा णिव्विसय सया तस्स तवो पंचमो परमो ।।४४७।।
यः रागद्वेषहेतुः आसनशय्यादिकं परित्यजति
आत्मा निर्विषयः सदा तस्य तपः पञ्चमं परमम् ।।४४७।।
અર્થઃજે મુનિ રાગ-દ્વેષના કારણરૂપ આસન, શૈયા વગેરેને
છોડે છે, સદાય પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર રહે છે તથા નિર્વિષય
અર્થાત્ ઇન્દ્રિયવિષયોથી વિરક્ત થાય છે તે મુનિને આ પાંચમું
વિવિક્તશૈયાસનતપ ઉત્કૃષ્ટ થાય છે.
ભાવાર્થઃબેસવાનું સ્થાન તે આસન છે અને સૂવાનું સ્થાન તે
શૈયા છે તથા ‘આદિ’ શબ્દથી મળમૂત્રાદિ નાખવાનું સ્થાન સમજવું. એ
ત્રણે એવાં હોય કે જ્યાં રાગ
દ્વેષ ઉત્પન્ન થાય નહિ અને વીતરાગતા
વધે, એવા એકાન્ત સ્થાનમાં (મુનિ) બેસેસૂવે, કારણ કે મુનિજનોને તો
પોતાનું સ્વરૂપ સાધવું છે પણ ઇન્દ્રિયવિષય સેવવા નથી; માટે
એકાન્તસ્થાન કહ્યું છે.
पूयादिसु णिरवेक्खो संसारसरीरभोगणिव्विण्णो
अब्भंतरतवकुसलो उवसमसीलो महासंतो ।।४४८।।
जो णिवसेदि मसाणे वणगहणे णिज्जणे महाभीमे
अण्णत्थ वि एयंते तस्स वि एदं तवं होदि ।।४४९।।
पूजादिषु निरपेक्षः संसारशरीरभोगनिर्विण्णः
आभ्यन्तरतपःकुशलः उपशमशीलः महाशान्तः ।।४४८।।
यः निवसति स्मशाने वनगहने निर्जने महाभीमे
अन्यत्र अपि एकान्ते तस्य अपि एतत् तपः भवति ।।४४९।।
૨૫૬ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા